Book Title: Aho Shruta gyanam Paripatra 38
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ તોપાસક ભગવંતોની વિનંતી (૧૦) પ્રકાશક સંસ્થા કાશક સંસ્થા. પુ:ન પ્રકાશન હોય તો પ્રાચીન પ્રકાશકનું પણ નામ ભાષા (જેટલી હોય તે બધી) પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી વગેરે ( ૨) પ્રકાશન વર્ષ - વિક્રમસંવત (૩) કુલ પાનાં અને સાઇઝ દ્વષય :- આગમ, પ્રકરણ, ચરિત્ર કે વ્યાકરણ જે હોય તે (૧પ) ગ્રંથની અંદર રહેલ બધી જ કૃતિના નામ વિશેષ નોંધઃ- જ્ઞાનભંડારમાં નોંધવા માટે રાખવાની સાવધાની : ' ગ્રંથ, લેખક, પ્રકાશક વગેરે પૂર્વે શ્રી ન લખવું, ઘણીવાર કોમ્યુટરમાં લિસ્ટ બનાવતી વખતે પણ શ્રી લખેલું હોવાથી, ભગવતી સૂત્ર, "ભ "ના બદલે અકરાદિમાં શ્રી માં પણ થઇ જય. ઇ લેખક વગેરેની પદવી (આચાર્ય, ઉપાધ્યાય વિગેરે) કૌસમાં લખવી. (ગૃહસ્થ હોય તો પંડિત. શેઠ વિગેરે પણ) કોમ્યુટરમાં લિસ્ટ બને ત્યારે પદવીના કારણે મુશ્કેલીઓ થતી હોય છે. (૩) એક જ નામ ઘણી પ્રસિદ્ધ વ્યક્તિનું હોય, ત્યારે કૌંસમાં ઓળખ આપવી. જેમકે હેમચન્દ્રસૂરિ (કલિકાલસર્વજ્ઞ), હેમચન્દ્રસૂરિ (માલધારી), હેમચન્દ્રસૂરિ (નેમિસૂરિ સમુદાય) હેમચન્દ્રસૂરિ (ભુવનભાનુસૂરિ સમુદાય) (૪) પ્રકાશક સંસ્થાનું નામ લખવું. સેક્રેટરી વિગેરે વ્યક્તિનું નહીં. ઘણાં લિસ્ટોમાં પ્રકાશક સંસ્થાના બદલે જીવણચંદ સાકરચંદ જેવા નામો જોવા મળે છે. જે અશુદ્ધ છે. (૫) ઘણીવાર લાભ લેનાર સંઘ, પ્રકાશક બનાવાય છે. વાસ્તવિક પ્રકાશન કરનાર સંસ્થા જુદી હોય છે. લિસ્ટમાં પ્રકાશક સંસ્થા એ અભિપ્રેતે છે કે જેની પાસેથી એ ગ્રંથ પ્રાપ્ત થઇ શકે. બહુશ્રુત મહાત્માઓને હૃદયપૂર્વક વિનંતી છે કે આ પદ્ધતિને અનુસરીને વિગતો આપે.. અનુસંધાન પાન નં- ૧ નું આગળ (૩) પુસ્તકો છપાયા બાદ તેના વેચાણ કે વિતરણની જો વ્યવસ્થા ન હોય તો તો બહુ ભારે થઇ પડે છે. ઘણા સંઘોમાં, સંઘ દ્વારા લાભ લેવાયેલ કે પ્રકાશિત પુસ્તકો ૧૦૦-૨૦૦ ના સ્ટોકમાં પડ્યા રહે છે. પ્રિન્ટરો સમજાવે કે પાંચસો છપાવો કે હજાર, કોસ્ટમાં બહુ ફરક નહિ પડે. એટલે મન લલચાય ને હાર છપાવી દેવાય. પણ ફલાન્તરે જતાં એ ૨૦૦-૫૦૦ પસ્તીમાં જ જતી રહે છે, જેનું કાંઇ વળતર હોતું નથી અને એ છપાવવામાં લાગેલા જ્ઞાનખાતા કે સાધારણના રૂપિયાનું ડેડ ઇન્વેસ્ટમેન્ટ થાય એ નફામાં અને કાગળના બિનજરૂરી વપરાશને લીધે દોષના ભાગીદાર અજાણતા પણ થાય છે. માટે બહુ જ વિચારણા અને વિવેક પૂર્વક પુસ્તકોના પ્રિન્ટીંગ સંદર્ભે ધ્યાન દેવા યોગ્ય છે. આપણા પૂજનીય ગુરુભગવંતનોના શ્રમણધર્મની મર્યાદા અનુસાર તેઓ ઇલેક્ટ્રીક સાધનાનો વપરાશ ન કરતા હોઇ તેમને તો હાર્ડ કોપીની જરૂર રહેશે જ એમ વૃદ્ધ વ્યક્તિઓને પણ હાર્ડ કોપી જ વધુ ઉપયોગી થશે. એટલે નેગેટીવ એપ્રોચ નથી. પણ એ જે વ્યક્તિને જે રીતે ઉપયોગમાં આવી શકે એમ હોય, તે રીતે તેના વિવેક ઔચિત્ય પૂર્વક પુસ્તક પ્રકાશનો કરવા જોઇએ. અને ખાસ તો સંખ્યા મર્યાદિત રાખવી જોઇએ. આ અમારા પ્રેક્ટીકલ અનુભવ પ્રમાણે લખ્યું છે. છતાંય અમારી ક્યાંય સમજફેર થતી હોય તો પૂજ્યોને ધ્યાન દોરવા વિનંતી.. અહો ! શ્રુતજ્ઞાનમ = ૩૮ ) Scanned with CamScanner

Loading...

Page Navigation
1 ... 5 6 7 8