Book Title: Agam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agamdip Prakashan

View full book text
Previous | Next

Page 459
________________ ૪૫૬ સમવાય-પ્રકીર્ષક સુધીના ભવનવાસી દેવોના વિષયમાં પણ સમજી લેવું. હે ભદન્ત ! પૃથ્વીકાયિક જીવો કયાં સંહનાથી યુકત્ત હોય છે? હે ગૌતમ! તેમને સેવાર્ત સંહનો હોય છે. એ રીતે તેઓ સંહનન યુક્ત હોય છે. એજ પ્રમાણે સંમૂચ્છિત્ર જન્મવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિના જીવોને પણ સેવાતું હોય છે. અર્થાત્ એકેન્દ્રિયથી લઈને સંમૂર્છાિમ પંચેન્દ્રિય સુધીના સંહનન બધા તિર્યંચ જીવો સેવાd સંહનનવાળા હોય છે. ગર્ભ જન્મવાળા જીવોને એટલે કે ગર્ભજ તિર્યંચ જીવોને છ એ સંહનો હોય છે. સંમૂઠ્ઠિમત્ર જન્મવાળા મનુષ્યોને સેવાર્ત સંહનન હોય છે. ગર્ભજન્મવાળા મનુષ્યો પણ છ એ સંહનનથી યુક્ત હોય છે. જે પ્રમાણે અસુરકુમારો દેવો સંહનન વિનાના હોય છે, એ જ પ્રમાણે વ્યંતરદેવો, જ્યોતિષિક દેવો અને વૈમાનિકદેવો પણ સંહનન વિનાના હોય છે. હે ભદત્ત ! સંસ્થાનના કેટલા પ્રકાર કહ્યા છે? હે ગૌતમ ! સંસ્થાનના છ પ્રકાર કહ્યા છેમ્સમચતુરસ્ત્ર સંસ્થાન, જોધપરિમંડલસંસ્થાન, સાદિકસંસ્થાન, વામનસંસ્થાન, કુમ્ભસંસ્થાન, અને હુડકસંસ્થાન. હે ભદન્ત! નૈરયિકો નેક્યા પ્રકારનું સંસ્થાન હોય છે? નૈરયિકોને હુંડક સંસ્થાન હોય છે. હે ભદન્ત! અસુરકુમાર દેવોને કર્યું સંસ્થાન હોય છે ? હે ગૌતમ! અસુરકુમાર દેવોને ચમચતુરસ્ત્ર સંસ્થાન હોય છે. એ જ પ્રમાણે સ્વનિતકુમાર સુધીના નવ ભવનપતિના દેવો પણ ચમચતુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે. પૃથ્વીકાયિકોના મસૂરના જેવા સંસ્થાન હોય છે. અપૂકાપિકો પાણીના પરપોટા જેવા સંસ્થાનથી યુક્ત હોય છે. તેજસ્કાયિકોના સંસ્થાન સૂચિકલાપ જેવા હોય છે. વાયુકાયિકોને પતાકાનું જેવું સંસ્થાન હોય છે. વનસ્પતિ કાયિકોને કોઈ નિયત સંસ્થાન હોતું નથી તેથી તેમને અનેક સંસ્થાનવાળા કહ્યા છે. બેઈન્દ્રિય, ઈન્દ્રિય તિર્યંચ જીવો ' હુંડક સંસ્થાન વાળા હોય છે. ગર્ભજન્મવાળા હોય છે. સંમૂર્છાિમ જન્મવાળા મનુષ્યો હંડક સંસ્થાનવાળા હોય છે. ગર્ભજ મનુષ્યો છ એ છ સંસ્થાનવાળા હોય છે. જે રીતે અસુરકુમાર દેવો સમયદુરસ્ત્ર સંસ્થાનવાળા હોય છે. તેજ પ્રમાણે વ્યંતર દેવો. જ્યોતિષિક દેવો, વૈમાનિક દેવો પણ એજ સંસ્થાનવાળા હોય છે. [૨૫] હે ગૌતમ ! વેદ ત્રણ પ્રકારનાં છે. તે પ્રકારો- સ્ત્રીવેદ, પુરષ વેદ અને નપુંસક વેદ. હે ભદન્ત ! નારક જીવો સ્ત્રીવેદ, પુરૂષ વેદ કે નપુંસક વેદ વાળા છે? હે ગૌતમ ! નારક જીવો સ્ત્રીવેદવાળા નથી, પુરૂષ વેદવાળા પણ નથી, નપુંસકવેદ વાળા હોય છે. હે ભદન્ત ! અસુરકુમાર દેવી સ્ત્રીવેદવાળા, પુરૂષવેદવાળા કે નપુંસકવેદવાળા. હોય છે? અસુરકુમાર દેવો ત્રીવેદવાળા અને પુરૂષદવાળા હોય છે. નપુંસક વેદવાળા હોતા નથી. એજ પ્રમાણે સ્વનિત કુમાર સુધીના જે નવ દેવો છે તેઓ પણ એ બે વેદવાળા હોય છે. નપુંસક વેદવાળા હોતા નથી. પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચ, અને સંમૂઠ્ઠિમ મનુષ્યો, એ બધા નપુંસક વેદવાળા હોય છે. પણ સ્ત્રીવેદ કે પુરૂષવેદવાળા હતા નથી ગર્ભજ મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચો ત્રણે વેદવાળા હોય છે. જેમ અસુરકુમાર દેવો પુરૂષ અને સ્ત્રીવેદવાળા હોય છે તેજ પ્રમાણે વ્યંતર દેવો અને વૈમાનિક દેવો પણ પુરૂષ અને સ્ત્રીવેદવાળા હોય છે. દેવોમાં નપુંસક વેદ હોતો નથી. [૨પપ-૨૫૬] તે કાળે-દુઃષમ સુષમ નામના ચોથા આરામાં જ્યારે ભગવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468