Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મેમ્બરોની સંખ્યા ૭૧૫ની થયેલ છે. હાલમાં મેમ્બરે થવા માટે વગર પ્રયત્ન નામે આવતાં જાય છે. જુલાઈ ૧૯૬૦માં મળનાર કાર્યવાહક કમિટી વખતે રૂા. ૫૦૧] મેમ્બર ફી કરવા માટે વાટાઘાટે ચાલે છે. હાલમાં કામ ચલાઉ રૂા. ૨૫)ને બદલે મેમ્બર ફી રૂા. ૩૫૧) રાખવામાં આવી છે.
ગઈ જનરલ સભાએ ઠરાવ કરીને પંચવર્ષીય યોજના ઘડી કાઢી છે અને તેને હેતુ અત્યારે શાસ્ત્રો ભેટ તરીકે આપવામાં જે ખોટ ખમવી પડે છે તે પુરી કરવાનું છે. રૂા. ૨૫ થી વધુ ગમે તેટલી રકમ પાંચ વર્ષ સુધી સમિતિને કેઈપણ વ્યકિત (મેમ્બર હૈ યા ન હો તે) ભેટ આપે તેમ સમિતિએ અપીલ કરી છે. સમિતિના પ્રમુખ શેઠ શાંતિલાલભાઈએ રૂા. ૧૦૦) એક હજાર પાંચ વર્ષ સુધી આપવાનું જાહેર કર્યું છે.
અત્યાર સુધીમાં રૂા. ૪૦૭૮) ની રકમ સમિતિને પહેલા વર્ષની ભેટ તરીકે મળી પણ ગઈ છે. આવી રીતે મદદ આપનારને શાસ્ત્રો ભેટ મળવાનાં નથી. તે વાત સમજી શકાય તેમ છે.
લગ્ન પ્રસંગે, પૂત્ર જન્મ પ્રસંગે, દિક્ષા પ્રસંગે, હર્ષિતપ પ્રસંગે તેમજ બીજા શુભ પ્રસંગોએ થતા ખર્ચામાં છેડો કાપ મુકીને પણ આ યોજના અપનાવી લેવા સારા સમાજને અમો વિનંતિ કરીએ છીએ.
અથાગ પરિશ્રમ વેઠીને સમાજના કલ્યાણ માટે જે સંત આવું અણમેલું કાર્ય કરી રહ્યા છે અને જેને વ્યવસ્થિત રીતે પ્રસિદ્ધ કરીને ઘેર ઘેર આગમો પહોંચાડવા જે સમિતિ કાર્ય કરી રહી છે. તેના હાથ મજબુત કરવા સમાજના સાધુ, સાદેવી શ્રાવક-શ્રાવિકા એ દરેકની પવિત્ર ફરજ છે. એજ વિનંતિ.
તા. ૧-૬-૬૦ રાજકેટ.
સેવક, માનદ્ મંત્રીઓ,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૪