Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
[૧૯]
આ સાથે પૂજ્યશ્રી શ્વાસીલાલજી મહારાજના સુશિષ્ય ૫. મુનિશ્રી કહૈયાલાલજી મહારાજ મલાડ મુકામે ચાતુર્માસ બિરાજે છે અને તેએાશ્રી શાસ્ત્રોના મેમ્બરો કરવા માટે અથાગ પ્રયત્ન કરીને પ્રવચનની સેવા બજાવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં મુંબઇ તેમજ પરાઓના લગભગ ૪૦ જેટલા ગૃહસ્થેા લાઈક્ મેમ્બર બની ગયા છે અને મુંબઈમાં લગભગ ૩૦૦ જેટલા મેમ્બરે થાય તે ઈચ્છવા યાગ્ય છે. શ્રીમંત ગૃહસ્થા હજારો રૂપિયા પાતાના ઘર ખðમાં તેમજ માજશોખના કામેામાં તેમજ વ્યવહારિક કામેામાં વાપરી રહ્યા છે તે શાસ્ત્રોદ્વાર જેવા પવિત્ર કાર્યમાં રૂપિયા વાપરશે તેા ધર્મની સેવા કરી ગણાશે. અને બદલામાં ઉત્તમ આગમસાહિત્યની એક લાયબ્રેરી મની જશે. જેનું વાંચન ફરવાથી આત્માને શાંતિ મળશે અને શાસ્ત્રઆજ્ઞા પ્રમાણે વર્તવાથી જીવન સફળ થશે.
આવા
શ્રી આચારાંગ સૂત્ર : ૩