Book Title: Aavo ne Aatlo Aghat kem Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ આવો ને આટલા આઘાત કેમ? [૧૯ એને જે ઉત્તર મળી રહ્યો તે જ આ સ્થળે ડૉ. મેધાણી પ્રત્યેની શ્રદ્ધાંજલી રૂપે લખી નાખું છું. છેવટના ઉત્તર મનમાંથી એ મન્યેય કે ડૅા. મેધાણીના સદ્ગુણાને જે ઘેાડે!ધશે પરિચય થયેલા તેનું તાજું થયેલું. સ્મરણુ આ વિષાદને તીવ્ર બનાવી રહ્યું છે. તેથી તેમની સાથેની મારી પરિચયકથા જ ટૂંકમાં અત્રે આપવી યેાગ્ય ધારું છું, ૧૯૭૧ની કરાંચીની કોંગ્રેસથી પાછા ફ્રી મુંબઈ આવ્યે તે અણુધારી રીતે ડૉ. મેધાણીને ત્યાં જ રહેવાનું બન્યુ, તે વખતે તે જકરિયા મસ્જિદની આસપાસ રહેતા. ઘેર તે પાતે ને તેમના નાનાભાઈ પ્રભુદાસ એ એ હતા, તેમના ધરને એકાંતવાસ મને વાચન-ચિંતનમાં અનુકૂળ હતેા તેથી જ હું ત્યાં રહેલા. મેં ત્યાં સૂવામ્બેસવા ને ચા-પાણી પૂરા જ વ્યવહાર રાખેલા. ડોકટર મેધાણીએ મને પ્રથમ પરિચયે જ કહ્યું હતું કે જો કે અત્યારે ઘરવાળા કાઈ નથી, છતાં જે અમારા માટે ખાવાનુ અને છે તેમાં તમે ખુશીથી ભાગીદાર બની શકે છે. ડોકટરના વિસને મેરા ભાગ તેમની ફરજ તેમ જ તેમને ચાહનાર પરિચિત દર્દીઓના ઈલાજ કરવા વગેરેમાં પસાર થતા. દિવસમાં બહુ ચાડા વખત અમે બન્ને કયારેક સાથે ખેસવા પામતા; પણુ રાતના જરૂર ખેસતા. હું તેમને તેમના અનુભવાની વાત પૂછતા તે કદી નહિ સાંભળેલ કે નહિ અનુભવેલ એવી દુ:ખી દુનિયાની વાતા તેમને માટેથી સાંભળતા. આમ તો ડૉકટર સાવ ઓછાખેલા પણ હું તેમને ચૂપ રહેવા દે નહિ. શરૂઆતમાં મે એટલું જ જાણ્યું કે ડોક્ટર મેધાણીના ગરીબ, દક્ષિત ને દુઃખી માનવતાને અનુભવ જેટલા સાચી છે તેટલે જ તે ઊડા પણ છે. ધીરે ધીરે મને માલૂમ પડેલુ` કે તેમણે તો ‘જાગૃતિ ' પત્ર દ્વારા આ વિષે ખૂબ લખેલુ પશુ છે. ઘેાડા જ વખતમાં હું એ પણ જાણવા પામ્યા કે, ડૉકટરને મનેવ્યાપાર માત્ર કચડાયેલ માનવતાના થરાના અનુભવ કરવામાં કે તેને માત્ર લખી કાઢવામાં વિરામ નથી પામતા; પણ તે એ દુ:ખ પ્રત્યે એટલી બધી સહાનુભૂતિ ધરાવે છે કે તેને ઓછું કરવામાં પેતાથી બનતું. અર્ધું કરી છૂટવા તે મથે છે. વૈશ્યાના લત્તામાં કે અતિ ગરીબ મજૂરાની ઝૂંપડીઓમાં તે પોતાની કજને અંગે જતા, પણ તે માત્ર નેકરી અાવવાના દેખાવ પૂરતા જ ઉપરઉપરના રસ ન લેતાં તેની સ્થિતિનાં ઊંડાં કારણે તપાસતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6