________________ તર સહિત જામનગરવાલા હીરાલાલ હંસરાજભાઇ પાળે છે. તે પણ દૂર્લભ પ્રાય છે. આ સિવાય અનેક મુનિભગવંતે રચિત શ્રીપાલચરિત્ર મલે છે જેનો ઉલ્લેખ જન ગ્રંથાવલીમાં છે. પ્રસ્તુત શ્રી રત્નશેખરસૂરિજી વિરચિત પ્રાકૃત “શ્રીશ્રીપાલ ચરિત્ર દુર્લભ હોવાથી પ. પૂ. વિદ્વદ્દવર્ય મુનિશ્રી ભાનચંદ્રવિજયજી મ. ને અમોએ આગ્રહભરી વિનંતિ કરતા, પૂજ્યશ્રીએ સ્વરચિત વિષમથલ ટીપણા તથા ભાષાંતર સાથે સંપાદિત કરી આપ્યું છે. તે બદલ અમે તેઓશ્રીના ઘણા જ આભારી છીએ. અને આ આભારની લાગણી એટલી પ્રબળ છે કે એમનો થડ જીવનપરિચય આપવા લલચાવી રહી છે. પૂ. મુનિરાજશ્રી, ધર્મનગરી રાજનગર (અમદાવાદ) ના વતની શાહ કેશવલાલ ઉમેદચંદના પેક |ii પુત્ર છે. માતાનું નામ જેઠીબેન છે. મુનિશ્રીના પિતાશ્રી કેશવલાલભાઈ કુટુંબ સાથે રાયપુર વાઘેશ્વરીની # પોળમાં રહેતા ને ન્યાય નીતિથી વ્યાપાર કરવા પૂર્વક ધાર્મિક જીવન ગુજારતા હતા, પણ આયુષ્ય ટુંક તેથી નાની વયમાં જ મૃત્યુ થયું. પણ સુવાસ થોડા સમયમાં સારી ફેલાવી હતી. કુટુંબ માટે ને મિત્રવર્ગ માટે આ એક “કારીઘા” હતું પણ “દુઃખનું ઓસડ દહાડા 'ન્યાયે ને ધાર્મિક પ્રબળ સંરકારેએ પતિમૃત્યુના દુઃખને હૃદયમાં સંગ્રહી મુખ પર આનંદ રાખી નાના બાળકોને પાલન પોષણમાં જેઠીબેને મન પરોવ્યું. પણ ધાર્મિક સંસ્કારનું પિષણ ભૂલ્યા નહીં. અને એજ માતાના ધાર્મિક સંરકારોએ ભરયુવાવસ્થામાં સાંસારિક પ્રબળ બંધનોને અવગણી પૂ. કિા મુનિરાજશ્રીએ સં. 2005 ના પિષ વદ 6 ના 5 5. આ. મહારાજશ્રી વિજ્યવિજ્ઞાનસૂરીશ્વરજી મ. સાહેબના