SearchBrowseAboutContactDonate
Page Preview
Page 894
Loading...
Download File
Download File
Page Text
________________ इयं प्रव्रज्याप्रथमदिवसे एव दीयते | નવ નવ અંગોની વૃત્તિનું સંશોધન કરનારા, પ્રાજ્ઞશિરોમણી શ્રી દ્રોણાચાર્યજીનું આ વચન છે કે આ ઓઘનિયુક્તિ ગ્રન્થ દીક્ષાના પહેલા જ દિવસે સંયમીઓને આપી દેવાનો છે. “સંયમજીવન શી રીતે જીવવું ?" વગેરે ખૂબ જ અદ્ભુત પદાર્થો આ ગ્રન્થમાં સમાયેલા છે. જે સંયમ પાળવા માટે સંસારીઓ નિર્ગુન્થ બન્યા છે, એ સંયમ અંગેના અણમોલ પદાર્થોનું વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવેલું છે. ' જૈન દર્શનમાં હજારો ગ્રન્યો છે, છતાં બીજા કોઈપણ ગ્રન્થને બદલે સંચમીને પહેલા જ દિવસથી ઓઘનિર્યુક્તિનો અભ્યાસ કરાવવાનું ખુદ આગમજ્ઞાતા મહાન આચાર્ય દ્રોણ ફરમાવી રહ્યા છે. એ મહાપુરુષની આ ભાવનાને સફળ કરવી એ આપણી બધાની ફરજ છે. તો ચાલો, “જાગ્યા ત્યારથી સવાર” એ ન્યાયે આ ગ્રન્થ હાથમાં આવ્યો એ જ દિવસને દીક્ષાનો પ્રથમ દિવસ સમજી આ ગ્રન્થનો અભ્યાસ કરીએ - કરાવીએ. ચિત્ર સ્પંરચય મોક્ષમાં જવા માટેનું પ્રથમ સોપાન ઓઘનિર્યુક્તિ ગ્રન્થ છે. એ પછી પિંડનિયુક્તિ વગેરે સોપાનો છે. આના આધારે સંયમી મોક્ષશિખરે પહોંચે છે. આમ દીક્ષા બાદ સંયમીએ સૌ પ્રથમ ઓઘનિયુક્તિ ગ્રથ ઉપર ચડવાનું છે.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy