SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્યુક્તિ HTT सा (૩) વૃદ્ધ પણ બાલ જેવો જ છે. શ્રી ઓઘ-થી (૪) સેહ એટલે શૈક્ષક - નૂતનદીક્ષિત. તે તો જો એકલો હોય તો ભિક્ષાની વિશુદ્ધિને ન જાણે. એટલે એ પોતે તો પોતાની ગોચરી લેવા ન જઈ શકે એટલે તેને ભિક્ષા લાવી આપવામાં આવે (અને એમાં માંડલી હોય તો બાલાદિમાં દર્શાવ્યા ભાગ-૨ પ્રમાણે બધું સરળ થઈ પડે.) | ૫૮૬ | v (૫) મહેમાન સાધુ આવેલા હોય તો બધા જ સાધુઓ તેમની સેવા-ભક્તિ કરે, હવે આ ઉપકાર-સેવાભક્તિ બધા v સાધુઓ ભેગા મળીને જ કરી શકે. એકથી એ ન થઈ શકે માટે માંડલી થાય. (૬) ગુરુનું વૈયાવચ્ચ બધા સાધુઓ ભેગા મળીને જ કરી શકે, માત્ર એક સાધુ ન કરી શકે. જો એક જ સાધુ કરે તો | એમાં જ એનો ઘણો સમય જવાથી સૂત્રાર્થની હાનિ થાય. " (૭) જે રાજપુત્ર વગેરે અસમર્થ - કોમળ સાધુઓ હોય, તેઓ કોમળ હોવાથી ભિક્ષા ફરવા માટે સમર્થ ન બને. એટલે જ બધા ભેગા થઈને જ તે બધા ઉપર ઉપકાર કરે. આમ સાધારણ ઉપગ્રહ થાય એટલે કે ગચ્છના તમામ સાધુઓ ઉપર ઉપકાર થાય, બધા જ સચવાઈ જાય એ કારણસર માંડલી કરાય છે. ગાથામાં જે સહારોદ શબ્દ છે, એ પંચમ્યન્ત ગણીને ઉપર મુજબ અર્થ કરેલ છે. અથવા તો આ શબ્દને પંચમ્યન્ત ન માનતા માથામાં રહેલા મુહુર્તી શબ્દનું વિશેષણ જ સમજવું. એટલે અર્થ આ પ્રમાણે થશે કે જે ઉપકાર કરે, ઉપયોગી | ૫૮૬ |.
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy