SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ - ભક્તિથી કાંજી ભરેલા તુંબડાને લઈને રહે છે. તે સાધુને નજીકમાંથી જતો જોઈને એક માણસ બોલે છે કે “તું આ કાંજી શ્રી ઓઘ-યુ. પી.” ત્યારે તે કહે “મારે પીવા વડે સર્યું. મારે નથી પીવું.” ત્યારે પેલો કહે કે “તો આ ભરેલા તુંબડાને કોણ ઉંચકશે ? નિર્યુક્તિ il એના બદલે સાધુને જ આપી દઈએ.” ત્યારે બીજો કહે કે “આપી દે કે ઢોળી દે.” (મારે કોઈ નિસ્બત નથી.) ત્યારબાદ ભાગ-૨ તેના વડે તે સાધુ નિમંત્રાયો અને કહેવાયો કે “તમે આ ગ્રહણ કરો.” ત્યારે તે ભગવાન (સાધુ) દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ગવેષણા કરે છે. દ્રવ્યથી - આ કાંજી શીતળ અને મધુર છે. અર્થાતુ ઘણું ઉત્તમ દ્રવ્ય છે. ક્ષેત્રથી - આવા જંગલમાં || ૪૧૫ તો કોણ દાન આપે ? કાળથી - જેઠ માસ છે. આવા કાળમાંય આવું દ્રવ્ય આપવું અઘરું છે. ભાવથી - આ માણસ હૃષ્ટતુષ્ટ ચિત્ત વડે - હર્ષવાળા અને સંતોષવાળા મનથી નિમંત્રણ કરે છે. (આ બધું વિચારતા એને વસ્તુ દોષિત લાગી. એટલે આગળ વિચારે છે કે, અહીં કોઈક કારણ હોવું જોઈએ. (અર્થાત્ આ વસ્તુ જે રીતે વહોરાવાય છે. તે સ્વાભાવિક નથી. તેમાં કોઈક ગરબડ લાગે છે.) એટલે તે સાધુ ઉપયોગવાળો બની નીચે જમીન ઉપર જુએ છે કે પેલા માણસના પગ ભૂમિ ઉપર લાગતા નથી. ઉપર જુએ છે કે એની આંખો પલકારા વિનાની છે. ત્યારે સાધુએ તેને દેવ જાણી લઈ તે વસ્તુ છોડી દીધી. (તે દેવે જ બે માણસો વગેરેની વિદુર્વણા કરેલી. કોંકણ દેશમાં કાંજી વગેરેનો વપરાશ ખૂબ હશે, એટલે કોંકણ દેશના માણસના વેશવાળુ રૂપ વિકુવ્યું હશે. જેથી સાધુને વિશ્વાસ પડે.) અથવા વજ સ્વામીનું દૃષ્ટાન્ત છે. વજસ્વામી આચાર્ય સાથે એક નગરમાં ચોમાસું રહ્યા. ત્યાં સાત દિવસ ધોધમાર વરસાદ પડતાં તેમાં કોઈ સાધુ બહાર , neto ૪૧પ ||
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy