SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ B નિ9 vi E F = = ઓઘનિર્યુક્તિ-૩૫૭ : ટીકાર્થ : ઉત્તર : સૌ પ્રથમ ગુરુની ઉપધિ ધોવી. ત્યારબાદ અનશન કરનારાની ઉપધિ તેની શ્રી ઓઘ-. નિર્યુક્તિ સમાધિ – પ્રસન્નતાને માટે ધોવી. ત્યાર પછી ગ્લાનની, એ પછી નૂતનદીક્ષિતની ઉપધિ ધોવી. જો એની ઉપધિ ધોવામાં ન આવે તો એ તો નવો હોવાથી, ઘડાયો ન હોવાથી મલ પરીષહની પીડા સહન ન કરી શકે અને એ પીડાના કારણે એનું મન ભાગ-૨! | ભાંગી જાય. આમ પહેલા આ બધાની ઉપાધિ ધોવી, એ પછી પોતાની ઉપધિ ધોવી. (આમ કાપ કાઢનારા પણ ઘણા હોય એટલે ૨૧૪ માં કંઈ એક જ સાધુએ આ બધાની ઉપધિનો કાપ કાઢવાનો નથી. પણ આ ક્રમ તો જરૂરી છે જ, એ દર્શાવવા બતાવેલ છે.) જ જ પ્રશ્ન : ક્યા વસ્ત્રો પહેલા ધોવા ? ઉત્તર : પહેલા યથાકૃત વસ્ત્રો ધોવા. જે વસ્ત્રો એકજ ટુકડા રૂપ હોય એટલે કે જે વસ્ત્ર બે ટુકડા સાંધીને તૈયાર કરાયેલું " ન હોય અને જે વસ્ત્ર અતૂર્ણિત હોય (વસ્ત્રમાં કાણું વગેરે પડી ગયું હોય ત્યારે જે “રજૂ કરવામાં આવે છે, તે તૂર્ણિત કહેવાય 'જ છે.) તે યથાકૃત કહેવાય. બાકીના બે ભેદવાળા વસ્ત્રોને પછીથી ધૂએ. એમાં એક અલ્પપરિકર્મવાળા હોય કે જે વસ્ત્રો કોઈક જગ્યાએ કંઈક રફૂ કરેલા હોય. જ્યારે બીજા વસ્ત્રો બહુપરિકર્મવાળા છે કે જે વસ્ત્રો બે પ્રકારે છે. સીવેલા અને તૂર્ણિત કરેલા. સ્વયં સીવવામાં કે તૂર્ણિત કરવામાં કોઈ વિરાધના ન હોય તો પણ આ બધું પરિકર્મ કરવામાં ઘણો સમય જાય, સ્વાધ્યાયનો વ્યાઘાત થાય એટલે યથાકૃતવસ્ત્ર કરતા આ વસ્ત્ર દોષવાળા તો ગણાય જ. માટે જ સંયમ-સ્વાધ્યાયનું પોષણ કરનારા યથાકૃત વસ્ત્રો પરના બહુમાનથી જ પ્રથમ તે વસ્ત્રો ધૂએ. પછી અલ્પ પરિકર્મવાળા વસ્ત્રો ધૂએ અને પછી બહુપરિકર્મવાળા વસ્ત્રો ધૂએ. ઓઘનિર્યુક્તિ-૩૫૮: ટીકાર્થ : વસ્ત્રો ધોતો તે સાધુ વસ્ત્રોને ધોબીની જેમ આચ્છોટે નહિ. (વસ્ત્રમાં વચ્ચે પાણી નાંખી TET ૨૧૪ = =
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy