________________
પર મન ઓવારી જાય...
શિર ઝૂકી જાય, એ આચારના પાલક પૂજયોના ચરણમાં, એવું તર્કશુદ્ધ-સૂક્ષ્મતમ નિરૂપણ છે - સાધુ જીવનના આચારોનું...
ઉપકાર માનીએ, શ્રુતકેવલિ ભગવાન ભદ્રબાહુ સ્વામી મહારાજાનો, કે પૂર્વોમાં રહેલ આ ખજાનાને આપણી સામે ધરી દીધો... વૃત્તિકાર દ્રોણાચાર્યજીનો, કે ગૂઢ રહસ્યોને સરળ ભાષામાં ખોલી દીધા...
છતાંય, આગમિક પરિભાષાથી અજાણ, સંસ્કૃતમાં અપાવરધા સાધુ-સાધ્વીજી ભગવંતોને એને સમજવામાં કઠિનાઈ un રહેવાની જ... અને એટલે એને સરળ ગુજરાતી ભાષામાં ભાષાંતર રૂપે લાવી રહ્યા છે ભાષાંતરકાર... ધન્યવાદ આપવાનું ,
મન થાય એમના પુરુષાર્થને... શાસન પ્રત્યેના અવિહડ રાગને... સંયમરક્ષા માટેની ધગશને... આચારશુદ્ધિ માટેની ' ઝંખનાને...
સીધા-સાદા લાગતાં પદાર્થોની પાછળ રહેલા રહસ્યો ખોલવા એમણે ઘણી મહેનત કરી છે... કઠિન સ્થળોને સરળ બનાવીને પીરસવા ધીરજપૂર્વકનો પુરુષાર્થ આદર્યો છે...
વર્તમાન કાળને અનુલક્ષીને યોગ્ય સમજણ આપવા નોંધો મૂકી છે... શ્રમણ-શ્રમણી ભગવંતોને, પ્રસ્તુત ગ્રંથના વાંચનમાં આ ભાષાંતર અવશ્ય સહાયક થશે એવો વિશ્વાસ છે... ગીતાર્થ મૂર્ધન્ય ગચ્છાધિપતિશ્રી પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.એ એકવાર