SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ- હ્યુ નિર્યુક્તિ || ૪૪ || म ण रूस ઓધનિયુક્તિ ભાષ્ય-૨ : ગાથાર્થ : (૧) વ્રતો (૨) શ્રમણધર્મ (૩) સંયમ (૪) વૈયાવચ્ચ (૫) બ્રહ્મચર્યની ગુપ્તિઓ (૬) જ્ઞાનાદિત્રિક (૭) તપ (૮) ક્રોધનિગ્રહાદિ આ ચરણ છે. ટીકાર્થ : ભાષ્ય ગાથા-૧માં જે ભવતિ ક્રિયાપદ હતું એ અહીં પણ ચાલુ જ સમજવું. એટલે ‘વ્રતાદિ ચરણ છે’ એમ અન્વય થશે. એમાં વ્રતો પ્રાણાતિપાત, મૃષા વગેરેની નિવૃત્તિરૂપ છે. (તે પાંચ છે) શ્રમણો એટલે સાધુઓ. જે ધારી રાખે (દુર્ગતિમાં ન પડવા દે) તે ધર્મ. સાધુઓના જે ક્ષમાદિ ૧૦ ધર્મ તે ચરણ છે. (ત્તરાં મતિ એ શબ્દો બધે જ જોડવાના.) # = એકીભાવથી જે યમ = પાપથી અટકવું તે સંયમ. તે પ્રેક્ષા-ઉપેક્ષાદિરૂપ ૧૭ પ્રકારે છે. વ્યાવૃત્તનો = સઘળી ક્રિયાથી પાછા ફરેલાનો જે ભાવ (આચાર્યાદિની જ સેવા કરવા વગેરે રૂપ અર્થાત્ બીજાના કાર્યોમાં સહાય કરવી) તે વૈયાવૃત્ય. તે આચાર્ય વગેરેના ભેદથી ૧૦ પ્રકારે છે. 7 શબ્દ સમુચ્ચયમાં છે. પ્રશ્ન ઃ શેનો સમુચ્ચય કરે છે ? સમાધાન ઃ ગાથામાં વિનય લીધો નથી. તેનો 7 શબ્દ સમુચ્ચય કરે છે. તથા બ્રહ્મ એટલે બ્રહ્મચર્ય. તેની ગુપ્તિઓ ચરણ છે. 147 स्थ T મ T व -- म ભા.-૨ ૩ ૫૪૪ ॥
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy