________________
s*
vi
=
H
=
H
શ્રી ઓધ- સ્થાને રાત્રે રહીશ. (કંઈપણ મુશ્કેલી ઉભી થાય તો) તમારે મારી કાળજી કરવી. નિર્યુક્તિ પ્રશ્ન : પણ આ સાધુ બીજા કયા સ્થાને રહે ? કેવા પ્રકારના ઘરમાં રહે ?
સમાધાન : પત્ની વિનાના જે શ્રાવક હોય તેના ઘરે રહે, હવે જો આવો શ્રાવક ન મળે તો જે સાધુઓ પ્રત્યે જ ૪૬૩ ll
આ સદૂભાવવાળો ગૃહસ્થ હોય અને સ્ત્રી વિનાનો હોય તો તેની પાસે રહે. અલબત્ત ગાથામાં માત્ર દિ શબ્દ જ લખેલ છે, મમો શબ્દ લખેલો નથી. છતાં અહીં ગૃહી તરીકે ભદ્રક જ સૂચવાયેલો છે એમ સમજી લેવું.
હવે જો ભદ્રક પણ સ્ત્રી વિનાનો ન હોય પણ સ્ત્રીવાળો હોય તો પછી આ રીતે તે ભદ્રક સ્ત્રીયુક્ત હોતે છતેં તે ઘરમાં / જુદો રહે. (અહીં જ્યારે શ્રાવક અને ભદ્રક બે ય સ્ત્રીવાળા છે, અને સ્ત્રીવાળા ઘરમાં જ જુદા સ્થાનમાં રહેવાનું છે, ત્યારે
નિ.-૧૦૬ સૌપ્રથમ શ્રાવકના જ ઘરમાં અલગ સ્થાનમાં રહેશે, એમ સમજી લેવું. એ પણ શક્ય ન હોય ત્યારે સ્ત્રીયુક્ત ભદ્રકના ઘરમાં જ અલગ સ્થાનમાં રહેશે. તથા સ્ત્રી તરીકે માત્ર પત્ની જ નહિ, પણ બહેન-દાસી વગેરે પણ સમજી લેવી યોગ્ય છે.)
પ્રશ્ન : પણ ઘરમાં જુદા સ્થાનમાં કયાં રહે ?
સમાધાનઃ તે જ ઘરની બહાર રહેલ જે રસોડું વગેરે હોય, તેમાં રહે. અથવા તો તે જ ફળીયાની અંદર રહેલ ઝૂંપડીમાં રહે. (આજે પણ ગામડાઓમાં ઘણા સ્થાને એવું દેખાય છે કે રહેવાનું ઘર જુદું જ હોય અને રસોઈ બનાવવાની નાનકડી ઝૂંપડી ઘરથી અલાયદી હોય. હવે તે ક્યારેક ફળીયાની બહાર પણ હોય કે ક્યારેક ફળીયાની અંદર પણ હોય.)
વૌ૪૬૩ ll - હવે જો આવા ભદ્રકાદિના ઘરો પણ ન હોય તો પછી સાધુ શૂન્યગૃહમાં રોકાય.
=.
. !
=
બ, રપ