SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ નિ.-૬૯ થી ઓઇ.Eા કારણે જે કાર્ય હોય, તે દર્શાવે પ્રગટ કરે. (પોતે શા માટે એકાકી નીકળ્યો છે ?" એનો સ્પષ્ટ ખુલાસો થઈ જાય.) પછી પુછે ! નિર્યુક્તિ કે “તમે બાધા વિનાના છો ? સુખશાતામાં છો ?” આમ પુછે એટલે તે સાધુઓ પણ કહે કે “અમે શાતામાં છીએ.” | ૩૨૬ il ત્યાર પછી સાધુ આ પ્રમાણે કહે કે - “તમારા દર્શન માટે હું ગામમાં પ્રવેશ્યો છું. હવે હું જાઉં છું.” એમ પૃચ્છા કરે. હવે તે સાધુઓ જો પોતાની પાસે આ સાધુની સાથે મોકલવા માટે યોગ્ય સાધુ હોય તો એને આ સાધુને સહાય તરીકે " આપીને મોકલે. T હવે જો ત્યાં કોઈક ગ્લાન સાધુ હોય તો પછી આગન્તુક સાધુ બોલે કે “હું આ ગ્લાનની સેવા કરું.” (ગુરુના ઉતાવળા કાર્ય માટે નીકળ્યો હોવા છતાં ગ્લાનની સેવા માટે તત્પર બને છે.) પછી તે સાધુઓ કહે કે “અહીં વૈયાવચ્ચીઓ છે જ.” અને પછી તે સાધુને વિહાર કરાવે. કહે કે “અમે જ આ ગ્લાનની સંભાળ કરશું.” હવે જો એ સ્થાનિક સાધુઓ આને જવા ન દે અને કહે કે “અહીં ગ્લાનને યોગ્ય બધું જ ઔષધાદિ મળે છે. પરંતુ મે તેની સંયોજના અમે જાણતા નથી.” (કયું ઔષધ કેટલા પ્રમાણમાં કઈ વસ્તુ સાથે મિશ્ર કરી ક્યારે કેટલા પ્રમાણમાં આપવું? એ વગેરે જાણતા નથી.) કી તો પછી આગન્તુક સાધુ ઉપદેશ-વિધિ આપે કે “આ ઔષધ આ વસ્તુની સાથે ભેગુ કરીને આપવું.” ૬ ૩૨૬ i E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy