________________
નિર્યુક્તિ
શ્રી ઓઘ-ચ
દાવાનલ પસાર થઈને આગળ વધી જાય એટલા એટલા સ્થાનમાં સાધુ આગળ વધતો જ જાય. 1 હવે જો એ દાવાનલ પ્રતિકૂળ હોય અર્થાત્ સાધુ પશ્ચિમ તરફ જતો હોય અને તે તરફથી પૂર્વ તરફ દાવાનલ આવી
રહ્યો હોય ત્યારે જે ભીના પ્રદેશો હોય ત્યાં આ સાધુ ઉભો રહે. એટલે દાવાનલ આગળ આવે તોય એ ભીના પ્રદેશમાં ન ૨૬૩ ll પ્રવેશે, જેથી સાધુને એ દાવાનલ કોઈ નુકસાન ન કરે.
- અથવા તો તણખલા વિનાના ચોખ્ખા મેદાન જેવા ભાગમાં ઉભો રહે. દાવાનલ આગળ વધે તોય એને આવા મેદાનમાં " ઈંધન ન મળવાથી ત્યાં એ પ્રવેશી ન શકે.
નિ.-૪૦ જો ભીનો પ્રદેશ કે તૃણરહિત પ્રદેશ ન હોય તો પછી ચામડા વડે જાતને ઢાંકીને ઉભો રહે. (પશુ વગેરેનું જાડું ચામડું - આખા શરીર ઉપર ઓઢી લે તો એ ચામડું બળે પણ અંદર રહેલો સાધુ ન બળે. ચામડું જાડું હોવાથી જલ્દી બળી ન જાય “ '? એટલે એ ન બને ત્યાં સુધી સાધુને રક્ષણ મળે અને એટલા કાળમાં દાવાનલ આગળ વધી જાય એટલે સાધુ એ બળતા ચામડાને '
ફેંકી દે. આમ પોતે બચી જાય. જયાં આવા દાવાનલનો ભય હોય ત્યાં સાધુ પહેલેથી આવુ ચામડું લઈને જ જાય.' પ્રાચીનકાળમાં આવા ચામડાઓ પુષ્કળ મળતા.)
જો આવું ચામડું ન હોય તો પછી કામળી વગેરે વસ્ત્રને પાણીથી ભીનું કરીને તેના વડે જાતને ઢાંકે. પછી ત્યાં ઉભો રહે. (આ રીતે કરવાથી ચામડા જેવું રક્ષણ તો ન મળે, છતાં ય તેના કરતા અલ્પ પણ રક્ષણ થાય. કદાચ થોડુંક દાઝે, તોય
|| ૨૬૩ T. જાન બચે. આ તો છેવટે બચવાના છેલ્લા છેલ્લા ઉપાયો ય કરવા જ પડે. અથવા તો આવી ભીની કામળી ઓઢવાથી બળતા