SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ તે પદાર્થોમાં મતભેદો છે. આ ૮ કારણોસર મારી વૃત્તિમાં ભૂલો સંભવવાની, સુવિવેકીઓને હું પ્રાર્થના કરું છું કે મારા લખાણમાં જે પદાર્થ તમને શાસ્ત્રાનુસારી લાગે, એ જ ગ્રહણ કરજો. મેં લખેલો જે પદાર્થ શાસ્ત્રાનુસારી ન લાગે એ ગ્રહણ નહિ કરતા. આ મારા લખાણમાં જે ભૂલો હોય તે દૂર કરીને કૃપાલુ મહાપુરુષો મને સંસાર કારણભૂત એવી ખોટીપ્રરૂપણાના પાપથી vબચાવજો , પણ મારાથી કંઈ ખોટું લખાયું હોય તો પણ મને ક્ષમા કરશો, કેમકે મેં આ જે કંઈપણ લખ્યું છે, એ “સંયમીઓને | ઉપકારી થશે” એવા એકમાત્ર શુભભાવથી લખેલું છે. “મેં લખેલા પદાર્થો સાચા જ છે.” એવો મારો કોઈ જ આગ્રહ નથી. મા “મારી ભૂલો હોઈ જ શકે છે” એવું હું સ્પષ્ટ માનું છું. પણ એટલું ખરું કે કોઈપણ પદાર્થને ઝટઝટ ખોટો કહેવાની ઉતાવળ ન કરશો. મધ્યસ્થબુદ્ધિથી બરાબર વિચારીને પણ નિર્ણય કરજો, કેમકે મારું આ લખાણ શ્રી દ્રોણાચાર્ય વગેરે બુદ્ધિમાન પુરુષોએ માન્ય રાખેલું છે. - એ મહાપુરુષે પોતાની વૃત્તિ માટે આ જે કંઈ કહ્યું, આ ભાષાંતર માટે મારે પણ અક્ષરશઃ એ જ કહેવાનું છે. આવા ગીતાર્થમૂર્ધન્ય મહાપુરુષ પણ જો નિખાલસતાપૂર્વક પોતાની ભૂલો હોવાની સંભાવના સ્વીકારતા હોય, તો મારા જેવાની તો શી વિસાત ? એ નક્કી છે કે આ ભાષાંતરમાં જે કંઈપણ લખેલ છે, એમાં ક્યાંય કદાગ્રહ નથી. ગીતાર્થ મહાપુરુષો એ ભૂલો કાઢીને - મારા ઉપર ઉપકાર કરે એવી નમ્ર પ્રાર્થના છે. અને એ ભૂલો તરફ ધ્યાન દોરે એવી નમ્ર વિનંતિ છે
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy