________________
“નિશ્ચયનયથી પ્રથમપોરિસી જાણવાની પદ્ધતિ, ભીના હાથના સાત વિભાગ કલ્પીને તે તે ભાગો સુકાય ત્યારે અન્ય ભીનો ભાગ પણ અચિત્ત... એ પદાર્થ...વગેરે મહત્ત્વના પદાર્થો તેઓશ્રી તરફથી જ સંપ્રાપ્ત થયા. જેમાં મને પૂર્વે તો લેશ | vી પણ સમજણ પડી ન હતી.
એ ઉપરાંત પૂજયપાદ આ.કુલચન્દ્રસૂરીશ્વરજી મ. સાહેબે, પૂ.પાદ પંન્યાસ અજિતશેખર મ. સાહેબે પણ તે તે પ્રશ્નોના સમાધાનો આપવા દ્વારા ખૂબ જ ઉપકાર કર્યો છે.
આ આખું ય ભાષાંતર અક્ષરશઃ તપાસી આપનાર, સંશોધન કરનાર વિદ્વાન મુનિરાજ ભવ્યસુંદર વિજયજી મ.સાહેબનો | (પૂ.પાદ શાસનપ્રભાવક આચાર્યદેવ શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સાહેબના શિષ્યરત્નનો) આ કાર્યમાં સિંહફાળો છે. આટલા
વિશાળ આગમગ્રન્થનું ભાષાંતર કરવામાં છબસ્થતાદિ દોષોના કારણે ભૂલો થવાની શક્યતા રહે જ, એ જો કોઈ અક્ષરશઃ | તપાસી ન આપે, તો એ છપાવવું શક્ય ન બને. પણ આ મુનિરાજે સૂક્ષ્મદૃષ્ટિથી તપાસી આપી ખૂબ ઉપકાર કર્યો છે. એમણે ' [ પણ ભાષાંતરમાં જ્યાં જ્યાં ક્ષતિઓ હતી, તે મને જણાવી એ ક્ષતિઓ દૂર કરવામાં મદદ કરી છે.
કેટલાક પદાર્થો એવા પણ છે કે જે મારા ક્ષયોપશમ પ્રમાણે મને જુદી રીતે સમજાયા અને અન્ય વિદ્વાનોને એ પદાર્થો આ જુદી રીતે લાગ્યા. એ અંગે સ્પષ્ટ નિર્ણય ન થવાથી, બંને પદાર્થો તે તે સ્થાને અથવા, મતાંતર વગેરે રૂપે લખેલા છે. ( અતિગુઢ પદાર્થોથી ભરેલા એક મહાન આગમગ્રન્થનું ભાષાંતર એ એક સાહસ તો છે જ. છતાં એ સાહસ ખેડ્યું છે. ) વી કેમકે વૃત્તિકાર મહર્ષિએ લખ્યું છે કે “આ ઓઘનિર્યુક્તિ દીક્ષાના પ્રથમ દિવસે જ સંયમીને ભણાવવાની શરૂ કરી દેવી.” પણ