________________
બીજું
(૭) સદાસોમ
બે શેઠ હતા : સદાચંદ શેઠ અને સોમચંદ શેઠ. સદાચંદ શેઠ એક નગરના મોટા વેપારી અષ્ટાદ્ધિક
હતા. દેશ-પરદેશો સાથે ધીકતો ધંધો ચાલતો હતો. એક વાર તેમને મુશ્કેલી આવી પડી. ચારે | પ્રવચનો
બાજુ અફવા ફેલાણી કે સદાચંદ શેઠની પેઢી ઊઠી જવાની છે. આથી અનેક લોકો પોતાની 4 કર્તવ્ય ૮૮ ||
જમાં મૂકેલી રકમ પાછી લેવા દોડ્યા. બન્યું એવું કે દરિયામાં તોફાન થયું. શેઠના વહાણો સાધર્મિક પરદેશથી પાછાં ફરતાં તેમાં ફસાયાં. પછી તે ડૂળ્યાં કે નથી ડૂબ્યાં તેના સમાચાર મળેલી વાત્સલ્ય નહિ. તેથી લોકોએ માન્યું કે વહાણો ડૂબી ગયાં. પછી પરિણામ શું આવે ? જેની જેની રકમ લેણી હતી તે બધાય શેઠ પાસે ઉઘરાણીએ આવ્યા. શેઠે લેણદારોને શક્ય તેટલું આપી દીધું.
ત્યાર પછી એક મોટો માણસ આવ્યો. તેણે લાખ રૂપિયા શેઠને ત્યાં મૂક્યા હતા. શેઠ | પાસે તેણે માગ્યા. આ સમયે સદાચંદ શેઠ એક લાખ આપે શી રીતે ? તેથી શેઠે કહ્યું, | ‘ભાઈ, થોડા દિવસ થોભી જા, હજુ વહાણના સમાચાર આવ્યા નથી.' પણ અફવા એવી | જોરદાર હતી કે લેણદારે મચક આપી નહીં. સદાચંદ શેઠ ખૂબ મૂંઝાયા કે હવે શું કરવું તેમણે રે ભગવાનનું સ્મરણ કર્યું. નવકાર મંત્રનું ધ્યાન શરૂ કર્યું અને અમદાવાદની ધનાસુતારની
પોળમાં રહેતા સોમચંદ શેઠ પર એક હૂંડી લખી આપી. તે કાગળ લઈ લેણદાર શોધતો - શિશોધતો સોમચંદ શેઠ પાસે પહોંચ્યો. હૂંડીના કાગળમાં લખ્યું હતું : “આવનારને એક લાખ રૂપિયા આપશો.'
|| ૮૮ ||