________________
અષ્ટાદ્ધિક પ્રવચનો | ૭૦ ||
કર્તવ્ય
ખતમ કરી દીધા.
અમારિ પ્રવર્તક હીરસૂરિજીના કાળધર્મ બાદ તેમની પાટે બિરાજેલા સોનસૂરિજી મહારાજાનો વિષ પ્રયોગ દ્વારા ભોગ લેવાઈ ગયો. હાય, યાદવાસ્થળી !
ણિ પહેલું કુમારપાળ પછી જૈનધર્મની જાહોજલાલીને અજયપાળે નષ્ટ કરી. અકબર પછીના ઔરંગઝેબે પણ તેમ જ કર્યું.
અમારી આ સમ્રાટ સંપ્રતિની સર્વોત્કૃષ્ટ જૈનધર્મ પ્રતિષ્ઠાનું તેમની પછી થયેલા પુષ્યમિત્રે | પ્રવર્તન ધનોતપનોત કાઢી નાંખ્યું ! Sા અન્ત તો...નિયતિ (નિશ્ચિત ભવિતવ્યતા)ને જ સલામ કરવી રહી. શક્ય તેટલો સુંદર અને ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરીએ... પણ પરિણામ શુભ ન આવે તો નિયતિને સલામ કરીએ. નહિ | તો આઘાતથી હાર્ટ-ફેઈલ થઈ જાય. માનવીનું માનવજીવન અને મુનિઓનું મુનિજીવન અકાળે ટુંકાઈ જાય. આજની નવી ભયંકર હિંસાઓ 4 અકબર અને કુમારપાળનું અમારિ-પ્રવર્તન તો અબોલ પ્રાણીઓ વગેરેના વિષયમાં જ હતું. આજે તો એનાથી પણ આગળ વધવું પડશે. પ્રાણી-હિંસા કરતાં ય વધુ ભયંકર તો પટના બાળકો, ઘરના વૃદ્ધ માબાપો, પત્ની વગેરેની હિંસા છે. એની પ્રથમ ‘અમારિ' થવી | જોઈએ.
|| ૭૦ ||