SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું પરન્તુ સબૂર ! ગૂર્જરેશ્વર કુમારપાળ તો બોજાને બાજુ ઉપર રાખીને ભારે શાન્તિની || પરમાત્મ-ભક્તિ કરતા હતા. ભોગવિલાસને બદલે મોક્ષમાર્ગની અનેક આરાધનામાં લીન અટાત્રિકા હતા. ગુરુદેવના અને સારા મસ્ત્રીઓ અને મિત્રોના સત્સંગના પ્રભાવે કુસંગના તો પડછાયો | પ્રવચના પણ તેમણે લીધો ન હતો. ન કર્તવ્ય | ૬૦ || આ રહી તેમના ધર્મમય જીવનની કેટલીક નેત્રદીપક ઝલકો. અમારી (૧) તેઓ સમ્યક્ત્વ સહિત બાર અણુવ્રતોના ધારક સુશ્રાવક હતા. (૨) ત્રિકાળ | પ્રવન -જિનપૂજા કરતા હતા. (૩) અષ્ટમી અને ચતુર્દશીએ પૌષધ સહિત ઉપવાસ કરતા હતા. (૪) પારણાના દિવસે સેંકડો લોકોને ઉચિત દાન કરતા. (૫) પોતાની સાથે પૌષધ લેતા તમામ સાધર્મિકોનું પારણું પોતાની સાથે થતું. (૬) હસ્તલિખિત ગ્રન્થોના માતબર એકવીસ જ્ઞાનભંડારો બનાવ્યા હતા. (૭) સાતસો લહિયાઓ પાસે લાખો શ્લોક પ્રમાણ આગમાં લખાવ્યા. (૮) પોતાના ગુરુદેવે રચેલા સિદ્ધહૈમ વ્યાકરણની એકવીસ કોપી કરાવી. તેમાં સાત કોપી સુવર્ણાક્ષરે તૈયાર કરાવી. (૯) રોજ બપોરે મધ્યાહુન-પૂજા સ્નાત્રપૂર્વક ભારે ઠાઠથી ત્રિભુવનપાળ વિહારમાં કરતાં (૧૦) ગુરુદેવને કાયમ દ્વાદશાવર્તવંદન કરતા. પછી તમામ મુનિઓને ક્રમશ: વંદન કરતા તે પછી ઉત્તમ કોટિના ધર્મારાધકો- જે પાસે ઉપસ્થિત હોય તેમને નમન કરવા સાથે શાતા પૂછતા. (૧૧) મનથી અબ્રહ્મના વિચારે ઉપવાસ, વાણીથી તે દિષ-સેવનમાં આયંબિલ અને કાયાથી વિજાતીય સ્પર્શ પણ થઈ જતાં એકાસણાનો દંડ | ૬ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy