SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવીશ. મારી આ ભાવના હવે પૂર્ણ નહિ થાય.” આ શબ્દો સાંભળીને સૂરિજીની આંખો માં હર્ષનાં આંસુથી છલકાઈ ગઈ. / ૪૯ || ત્રિભુવનપાળ વિહારમાં રાજર્ષિ રોજ મધ્યાહ્ન ભારે ઠાઠથી-ચતુરંગિણી સેના સાથે પૂજા કરવા જતા હતા. રસ્તામાં અનેક કરોડાધિપતિ સુશ્રાવકો પોતાના ઠાઠ સાથે જોડાતા. રાજર્ષિ | જાતે રોજ ભવ્ય આંગી બનાવતા. પુષ્પપૂજામાં તો તેમને ભારે રસ પડતો. ઉત્તમોત્તમ કોટિના સિતાજા પુષ્પો દૂરદૂરથી પણ તેઓ મંગાવતા. એક વાર તે જિનાલયના ધૂળેવા મંડપમાં આરતિ | ઉતારતા ઉતારતા અધવચમાં અટકી પડ્યા. તેઓ વિચારે ચડ્યા કે, “જે પરમાત્માની મહતી : કૃિપાથી હું આટલી બધી લક્ષ્મી પામ્યો છું તે પરમાત્માની આંગી માત્ર ચાલુ ઋતુના પુષ્પોની | સિજ શા માટે ? છએ ઋતુનાં પુષ્પોની આંગી જો રોજ ન કરી શકાય તો આ લક્ષ્મીનો સદ્વ્યય | શી રીતે થયો ગણાય ? હિ ‘બસ, જયાં સુધી હું છ ઋતુનાં પુષ્પોથી રોજ આંગી કરવાનું સામર્થ્ય પ્રાપ્ત ન કરે ત્યાં ત્રિ સુધી મારે અન્ન, પાણીનો સંપૂર્ણ ત્યાગ.” બિલ આવો સંકલ્પ કરીને અટકી ગયેલી આરતિ પુનઃ ચાલુ કરી. જિનમંદિરેથી બહાર પણ નીકળ્યા બાદ વામ્ભટ્ટ મંત્રીએ આરતિમાં અટકી પડ્યાનું કારણ પૂછતાં રાજર્ષિએ મનના હિ બિસંકલ્પ જણાવ્યો. મંત્રી તો વિચારમાં પડી ગયા કે છ ય ઋતુના પુષ્પો કાંઈ ખાતર તરીકે બિન હીરા-મોતીનો ખાખ નાંખવાથી થોડા જ ઊગી નીકળવાના છે ? આ કાંઈ લક્ષ્મીથી સાધ્ય છે શિબાબત નથી. પછી મત્રી તરત સૂરિજી પાસે ગયા. સઘળી વાત કરી. સૂરિજીએ રાતે દેવીને શ્રી | ૪૯ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy