SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૨-૩ || કબીર (૮) જે ધર્મઝનૂની અને ઇર્ષાળુ હિન્દુઓએ સંત કબીરની દિગંતવ્યાપી કીર્તિને કલંકિત કરવા માટે સગર્ભા વેશ્યા દ્વારા જાહેરમાં કહેવડાવ્યું કે તેના ગર્ભાના બાળકનો બાપ કબીર છે તે , હિન્દુઓનો ભંડો ફૂટી જતાં બાદશાહના વજીર તેમની ઉપર ખૂબ ગુસ્સે ભરાયા. તેમણે કબીરને પૂછયું કે, ‘આ લોકોને શું સજા કરું ?” - સંતે કહ્યું, ‘એ બધા ભગવાન છે. પેલી વેશ્યા પણ ભગવાન છે. એમને સજા થાય જ | કેવી અદ્ભુત ક્ષમા, સંત કબીરની ! લિઈશ્વરચન્દ્ર વિદ્યાસાગર (૯) ઈશ્વરચન્દ્રને પરંપરાગત રૂઢિઓ ઉપર સખ્ત નફરત હતી. તે વિધવાના શિપુનર્લગ્નના ઉઘાડે છોગ હિમાયતી હોવાથી ધર્મચુસ્ત હિન્દુઓ વિફર્યા હતા. એક વાર તે ટ્રેનમાં મુસાફરી કરતા હતા. તેમની સાથે તે ડબ્બામાં બેઠેલા પંદર જેટલા િિહન્દુઓ વાતો કરતાં ઈશ્વરચન્દ્રને પુનર્લગ્નની હિમાયતના મુદે ભાંડવા લાગ્યા. એક હિન્દુ ત્યાં સુધી બોલી ગયો કે “જો વિદ્યાસાગર મારા હાથમાં આવશે તો હું તેના દો ણિ દેહના રાઈ-રાઈ જેટલા ટુકડા કરી નાંખીશ.” ત્રિ એ વખતે કોઈ પ્રવાસીએ ગૂપચૂપ બેસી રહેલા વિદ્યાસાગરને ઓળખી કાઢ્યા. તેણે | ક્રિાધાન્ય પ્રવાસીને ચેતવી દીધો. તે ગભરાઈ ગયો. તેનું બ્લડપ્રેશર વધી ગયું. ત્યાં જ બેભાન થઈને સીટ ઉપરથી નીચે પડી ગયો. | ૧૨૩ ||
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy