SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજું પણ જે ત્રીજી ક્ષમા કરવાની છે તે આપણી જાત સાથે કરવાની છે. આપણે આપણા થી આત્મા સાથે પણ ક્ષમા કરો કે, “હે જીવ ! તને દુર્ગતિના ખાડામાં લઈ ગયો, તારા પર જુલ્મ અષ્ટાલિંકા | ગુજાર્યો ! વિષય-કષાયના વિકારમાં રગદોળ્યો, કેટલા કર્મ બાંધ્યાં ? તને દુર્ગતિના કેટલાય | પ્રવચનો સાગરોપમોના આયુષ્યનું બંધન કરાવ્યું ? ૩૩ સાગરોપમનું નારકનું આયુષ્ય પણ ક્યારેક | કતવ્ય | ૧૧૪ | | બિઝાડ્યું ! કેટલો તને સતાવ્યો ! આ બદલ તારી સાથે ક્ષમા કરું છું. કીડીનું મોત એક વખત ક્ષમાપના આપણે લાવી શકીએ, તે પાપ એક વખતનું લાગે. પણ કોકા કોલા-ફેન્ટા વગેરે અપયાદિ પદાર્થોનું સેવન કરીને સેંકડો વખતના મૃત્યુ પોતાની જાતનાં નોતર્યા : પોતાના આત્માને ભયંકર ત્રાસ દીધો તેની પણ આ પર્વદિવસોમાં પ્રસંગોપાત્ત ક્ષમા કરી લેવી જોઈએ. (૧) પરમાત્મા મહાવીરદેવ ક્ષમાપનાની પરાકાષ્ટા તો પરમાત્મા દેવાધિદેવ મહાવીરના જીવનમાં જોવા મળે. સાડા | બાર વર્ષની ઘોર સાધનામાં એ પ્રભુ ઉપર શૂલપાણિ, ચંડકૌશિક, ગોશાલક અને સંગમક વગેરેએ ભયંકર ત્રાસ ગુજાર્યો છે. એ વખતે સદા સુપ્રસન્ન રહીને પ્રભુએ કોઈ પ્રત્યે લેશ | પણ તિરસ્કારનો ભાવ દાખવ્યો નથી એ અત્યંત આશ્ચર્યજનક બીના ગણાય. ઈસુ ખ્રિસ્તના બન્ને હાથમાં ખીલા ઠોક્યા, તેમને વધસ્તંભ ઉપર લટકાવવામાં આવ્યા. તે વાત સાચી, પણ તે વખતે તેઓ હેરાન થઈ ગયા હતા. તેમનાથી તે સહન થઈ શક્યું નથી. તેમના મુખ ઉપર
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy