SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્લાનિ છવાઈ ગઈ છે. વેદનાની ચીસો નીકળી ગઈ છે. જ્યારે ભગવાન મહાવીર દેવના ત્રિ કાનમાં ખીલા ઠોકાયા. કાનના પડદા એટલે શરીરનું અત્યંત નાજુક અંગ ! અને ત્યાં ખીલા દશ ૧૧૫ || ઠાકાય એટલે કેવી પારાવાર વેદના થાય ? વળી ? તેના છેડા પણ કાપી નાખ્યા કે જેથી કોઈ મકાઢી શકે નહીં. પ્રભુને ભયંકર પીડા હતી છતાં મુખ ઉપર લેશ પણ ગ્લાનિ નહીં, ઉપરથી પરમ સમાધિ. કીલક ઠોકનાર પ્રત્યે ક્ષમાપનાનો અપૂર્વ ભાવ ! પ્રભુના જીવનમાં આવી ઉત્કૃષ્ટ - ક્ષમાપનાના કેટલાક પ્રસંગો બન્યા છે. એક ચંડકૌશિક નાગ સાથે, બીજો સંગમ સાથે અને ત્રીજો ગોશાળા સાથે. | ચંડકૌશિક નાગની આંખમાંથી આગ ભભૂકે છે, છતાં તેને ભગવાન કહે છે : “બુજઝ, બુજઝ' -કેવી ભવ્ય અને અજોડ ક્ષમાપના ! સંગમે પણ આગ છોડી હતી અને ગોશાળાએ પણ આગ છોડી હતી. સંગમે ધ્યાનસ્થ ભગવાન્ ઉપર આગના લબકારા છોડતું કાળચક્ર છોડી મૂક્યું. મેરુપર્વતની પથ્થરની કાળમીંઢ શિલાને પળમાં ચુરી નાંખવાની તાકાત ધરાવતું યમના | હિરાભાઈ સમું આ કાળચક્ર હતું. તે ધસમસતું જઈને પ્રભુના માથા સાથે જોરથી અફળાયું. પ્રભુની : અડધી કાયા ધરતીમાં ઊતરી ગઈ. એક રાતમાં આવા ૨૦ ઉપસર્ગો કર્યા બાદ પણ સંગમે મિપ્રભુને છ મહિના સુધી-ભિક્ષાને દોષિત કરતા રહીને-અન્ન-પાણી વિનાના રાખ્યા. અંતે તે | વ્યિથાક્યો અને જ્યારે જવા લાગ્યો ત્યારે તેની પીઠ તરફ નજર કરતાં પ્રભુની આંખે આંસુ ત્રિ આવ્યાં. પ્રભુ મનમાં બોલી ઊઠ્યા “અહો ! સર્વને તારવાની ભાવનાવાળો હું આ બિચારાના દર ! બિસંસારનું કારણ બની ગયો !”
SR No.600355
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationManuscript
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy