SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ છે એટલામાં તો ધૂંઆપૂંઆ થતો ધમપછાડા કરતો ગોશાલો ત્યાં આવી પહોંચ્યો અને બોલવા છે (૫૭) છે લાગ્યો : હે મહાવીર ! તું જૂઠો છે, તું જિન નથી. હું જ જિન છું. તું મને મંખલિપુત્ર કહે છે. પણ છે છે તે મખલિપુત્ર તો મરી ગયો છે, તે અન્ય હતો, હું અન્ય છું. તેના શરીરને પરિષહ સહન કરવામાં છેયોગ્ય સમજીને મેં તેમાં પ્રવેશ કર્યો છે. માટે હવે તું ગરબડ બંધ કર. તે ગોશાલાના શરીરમાં પ્રવેશ છે છે કરેલ હું જિન છું, હું સર્વજ્ઞ છું.” હું ભગવાન બોલ્યા, “હે ગોશાલક ! તું આવું જૂઠ બોલીને શા માટે તારી જાતને દુર્ગતિમાં નાંખે છે હું છે? પોતે જે ગોશાલો હતો તે જ તું આજે છે. કોઈના શરીરમાં પ્રવેશ કર્યાનું જૂઠ તું કેમ બોલે છે છે?' આ સાંભળીને આગમાં ઘી હોમાયું હોય તેમ ગોશાલક ભગવાનને જેમ તેમ બોલવા લાગ્યો. છે આથી ત્યાં રહેલ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના મુનિઓથી સહન ન થયું. દિવ, ગુર, ધર્મ ઉપરનું આક્રમણ તો શી રીતે સહન થાય?] તે આગળ આવી ગયા અને ગોશાલાને જ્યાં થોડું કહે છે ત્યાં ગોશાલાના મોંમાંથી આગ પ્રગટી અને તે બન્નેને બાળીને ભસ્મ કરી નાંખ્યા. સુનક્ષત્ર અને આ સર્વાનુભૂતિ બન્ને કાળ કરીને દેવલોકમાં ગયા. ગુરુ પ્રત્યેની અગાધ ભક્તિને કારણે ભગવાને બોલવાની ના પાડવા છતાં અંદરનો ભક્તિભાવ ઊછળી આવ્યો. એથી શુભલેશ્યામાં કાળ કરીને સદ્ગતિના ભાગી બન્યા. (૫૭)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy