SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) હું મિત્રને કહી ત્યારે એના મિત્રે એને કહ્યું કે, “તારો તારી અપર માતા દ્વારા આવો જે પરાભવ થાય છે છે છે, તેનું ખરું કારણ એ છે કે, પૂર્વજન્મમાં તે તપ કર્યો નથી.' છે આ મિત્ર કેટલો ડાહ્યો? એમની અપર માતાને એ ખરાબ કહેતો નથી અને એના બાપાને એ જ આ બાયલો કહેતો નથી. કેમ? એ ગમે તેટલાં ખરાબ હોય તો પણ જો આપણું પુણ્ય ઉદયમાં હોય તો એ આપણા માટે સારા નીવડે. અને એ ગમે તેટલાં સારાં હોય તો પણ જો આપણું પાપ ઉદયમાં આ જ હોય તો એ આપણા માટે ખરાબ નીવડે. આવું એ સમજતો હશે, માટે જ એણે બીજા કોઈનો પણ છે છે દોષ કાઢવાને બદલે આપણે દુઃખ પામીએ છીએ, તેમાં ખરો દોષ તો આપણો જ છે.' એવી વાત છે સંભળાવી અને સમજાવી. હું નાગકેતુનો જીવ પણ બહુ લાયક છે, માટે એણે એના કલ્યાણમિત્રની આ સલાહને શાંતિથી છે છે સાંભળી અને આનંદથી સ્વીકારી. એના મિત્રે એને એવા પ્રકારની સલાહ આપી, એટલે એ છે “પોતાની અપર માતા પીડા આપે છે.' એ વાતને વીસરી ગયો અને યથાશક્તિ તપનું આચરણ તે કરવામાં રત બની ગયો. એના યોગે એના હૈયામાં એવી ભાવના પેદા થવા પામી કે – “આવતા આ પર્યુષણ પર્વમાં હું અઠ્ઠમનો તપ કરીશ.’ આની મનોવૃત્તિ આટલી બધી બદલાઈ ગઈ તો પણ જ આની અપર માતાને એની કશી ખબર નથી. જેની તરફ બહુ દ્વેષભાવ પેદા થઈ જાય છે, તેના છે ગુણો જોઈ શકાતા નથી. અતિ રાગ, દોષને દોષરૂપે જોવામાં અંતરાય કરે અને અતિ દ્વેષ, ગુણને છે ગુણરૂપે જોવામાં અંતરાય કરે.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy