SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ સુધર્માસ્વામીજી : શ્રી વીર પ્રભુની પાટે શ્રી સુધર્માસ્વામી પાંચમા ગણધર હતા. આર્ય સુધર્માસ્વામીનું ગોત્ર “અગ્નિવૈશાયન” હતું. કોલ્લાગ નગરમાં ધમ્મિલ નામે બ્રાહ્મણને ભદ્વિલા (૨૯૬) નામે સ્ત્રી હતી. તેમના પુત્રે (સુધર્માસ્વામીએ) ચૌદ વિદ્યાના પારગામી થઈને ૫૦ વર્ષે પ્રભુ પાસે કલ્પસૂત્રની આઠમી વાચનાઓ જ દીક્ષા લીધી અને ૩૦ વર્ષ સુધી વીર પ્રભુની સેવા કરી. વીર પ્રભુના નિર્વાણ પછી ૧૨ વર્ષે અથવા વાચના જન્મથી ૯૨ વર્ષે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ૮ વર્ષ કેળવણીપણું પાળીને, ૧૦૦વર્ષનું આયુષ્ય (બપોરે) છે પૂર્ણ કરીને પોતાની પાટે જંબૂસ્વામીને સ્થાપીને તેઓ મોક્ષે ગયા. જંબુસ્વામી : આર્ય જંબૂસ્વામીનું ગૌત્ર “કાશ્યપ હતું. રાજગૃહ નગરમાં ષભદત્ત નામે શેઠ જ રહેતો હતો. તેને ધારિણી નામે ભાર્યા હતી. એક વખત મધ્ય રાત્રિએ ધારિણીએ સ્વપ્નમાં જંબુવક્ષ જોયું. પ્રાતઃકાળે તેણે ઋષભદત્તને સ્વપ્નની વાત કહી. ઋષભદત્તે પોતાની બુદ્ધિ અનુસાર કહ્યું કે છે “તારે જંબુસરખા ગુણોવાળો પુત્ર થશે.' ધારિણી ગર્ભવતી થઈ તેને પુત્ર થયો. માબાપે સ્વપ્નને છે અનુસરી તેનું નામ જંબુકુમાર પાડ્યું. જંબૂકુમાર બાલ્યકાળ પસાર કરી યૌવન વય પામ્યો. માતહું પિતાએ તે નગરના જુદા જુદા આઠ શ્રેષ્ઠિની આઠ કન્યાઓ સાથે તેનો વિવાહ કર્યો. એક વખત રાજગૃહનગરમાં આર્ય સુધર્માસ્વામીજી પધાર્યા, કોણિક રાજા નગરવાસીઓ સાથે દેશના સાંભળવા આવ્યો. જંબૂકમાર પણ તે દેશનામાં ગયા. સુધર્માસ્વામીએ દેશનામાં શું કહ્યું, “જીવન ચંચળ છે. જેમ પાણીનો પરપોટો સહેજ ફૂટી જાય છે તેમ આ જીવન નશ્વર છે' છે
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy