SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ થયે ખાવાનું કહ્યું. એ ય ન પચ્યું એટલે પાણીમાં ભીંજવીને પછી કાંખમાં રાખવા કહ્યું. પછી આ પણ ન પચ્યું. (૨૭૮). એવામાં ગ્રીષ્મઋતુમાં ઝાડોનાં ડાળાં ઘસાતાં પ્રથમ અગ્નિ પ્રગટ થયો, તેથી પ્રભુએ પ્રજાજનોને કલ્પસૂત્રની સાતમી વાચનાઓ છે તે અગ્નિમાં અનાજ શેકીને ખાવા કહ્યું. તો તેઓ સીધું અગ્નિમાં અનાજ નાંખવા લાગ્યા અને વાચના છે. કલ્પવૃક્ષની જેમ માગવા લાગ્યા પણ જ્યારે તે બળી જવા લાગ્યું. ત્યાર પછી પ્રભુએ પાકવિદ્યા છે (સવારે) શીખવી. પહેલું હાથીના ગંડસ્થળ ઉપર માટી લગડાવીને કુડું બનાવતાં શીખવ્યું. અને કહ્યું કે, આમાં પાણી નાખો, અનાજ નાખો, ઘડાને અગ્નિ ઉપર મૂકો-પછી પાક્યા બાદ તે ખાઓ.” પાંચ કળાઓ અને તેના સો ભેદઃ આમ, પ્રભુએ પ્રથમ કુંભારની કળા શીખવી, પછી અન્ય છે ચાર કળાઓઃ લુહારની, ચિતારાની, વણકરની અને નાપિત (હજામ)ની કળા શીખવી. આ પાંચ $ હું કળાના-પ્રત્યેકના વીશ ભેદ થયા. તેની કુલ એકસો પ્રકારની શિલ્પકળા થઈ. છે ૭૨ કળા-પુરુષો માટે : શ્રી ઋષભદેવ પ્રભુ ૨૦ લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થામાં રહ્યા, પછી છે ૬૩ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં રહ્યા તે દરમિયાન પ્રભુએ પુરુષો માટેની ૭૨ કળાઓ શીખવી. ગણિત, ગીત, નૃત્ય, વાદ્ય, પઠન, શિક્ષા, અલંકાર, વ્યાકરણ, કાવ્ય, ગજારોહણ, તુરંગારોહણ, શસ્ત્રાભ્યાસ, રસ, મંત્ર, યંત્ર, વિષે, પ્રાકૃત, સંસ્કૃત, સ્મૃતિ, પુરાણ, સિદ્ધાંત, તર્ક, વૈદક, આગમ, ઇતિહાસ, રસાયન વગેરે ૭૨ કળાઓ હતી. હંસ લિપિ વગેરે ૧૮ જાતની લિપિ પ્રભુએ
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy