SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પાલો પત્તી ખાતા હૈ, ઉન સતાવે કામ. જો હલવા-પૂરી નિગલતે, ઉનકી જાને રામ. (૨૬૯) છે અન્યત્ર કહ્યું છે કે, પૌષ્ટિક પદાર્થોનું વારંવાર સેવન કરનારા જીવો જો ઉત્તમ બ્રહ્મચર્ય પાળી શકશે તો વિધ્યાચળ પર્વત સાગરને જરૂર તરી જશે. રહનેમિનું પતન નિમિત્ત ભટકાઈ જવાથી થયું. સહુ નિમિત્તોથી બાર ગાઉ છેટા રહેજો. પછી તે તમે મહાબ્રહ્મચારી. આગને જે અડે તે દાઝે એવો જેમ એક નિયમ છે તેમ બીજો પણ નિયમ છે કે આગને ન અડે તે ન જ દાઝે. નેમિનાથ પ્રભુનો પરિવાર (૧) શ્રી નેમિનાથ પ્રભુને ૧૮ વર્ષ ગણધરો થયા. (૨) વરદત્ત વગેરે ૧૮ હજાર ઉત્કૃષ્ટ છે સાધુઓ થયા. (૩) આર્ય યક્ષિણી વગેરે ૪૦ હજાર ઉત્કૃષ્ટ સાધ્વીઓ થઈ. (૪) નંદ વગેરે ૧ $ 9 લાખ ૬૯ હજાર શ્રાવકો હતા. (૫) મહાસુવ્રતા વગેરે ત્રણ લાખ ૩૬ હજાર શ્રાવિકાઓ હતી. હું (૬) ૪00 ચૌદ પૂર્વી હતા, સાથે ૧૫૦૦ અવધિજ્ઞાની હતા. (૭) ૧૫૦૦ કેવલજ્ઞાની, ૧૫૦૦ વૈક્રિય લબ્ધિશાળી હતા. (૮) ૧000 વિપુલમતિ હતા, ૮૦૦ વાદીઓ, અને ૧૬૦૦ અનુત્તર વિમાનવાસી સાધુઓ હતા. અને ૩૦૦૦ સાધ્વીઓ મોક્ષે ગયા. પ્રભુના કેવલજ્ઞાન પછી ૨ વર્ષે છે. મોક્ષ શરૂ થયો અને આઠમી પાટ સુધી તે માર્ગ ખુલ્લો રહ્યો.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy