SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫૬). કલ્પસૂત્રની વાચનાઓ નેમિનાથ ચારિત્ર નેમિનાથ ભગવાનના પાંચ કલ્યાણકો ચિત્રા નક્ષત્રમાં થયા છે. ભરતક્ષેત્રમાં શૌર્યપુર નગરમાં સમુદ્ર વિજય નામના રાજાની રાણી શિવાદેવીની કુક્ષિએ સાતમી જ ચિત્રાનક્ષત્રમાં રિષ્ટનેમિ (નેમિનાથ ભગવાન)નો જન્મ થયો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે વાચના માતાએ સ્વપ્નમાં રિષ્ટ નામનું રત્નયુક્ત નેમિ (ચક્ર) જોયું તેથી પ્રભુનું નામ “રિષ્ટનેમિ' રાખવામાં (સવારે) આવ્યું. પણ “રિષ્ટ' શબ્દ બીજા અર્થમાં અમંગળવાચક શબ્દ હોવાથી ‘રિષ્ટ'ની આગળ “અ” છે છે લગાડીને “અરિષ્ટનેમિ' નામ રાખવામાં આવ્યું. અરિષ્ટનેમિ યુવાન થયા ત્યારે માતાએ લગ્ન છે કરવાનું કહ્યું, કમારે જવાબ આપ્યો : ““યોગ્ય કન્યા મળશે, ત્યારે પરણીશ.' આમ, વારંવાર છે તેઓ લગ્નની વાત ટાળતા રહ્યા. એક વાર નેમિકુમાર મિત્રોના આગ્રહથી કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં ગયા. નેમિકુમારે હું છે વાસુદેવનું અતિ ભારે સુદર્શન ચક્ર આંગળીના ટેરવા ઉપર લઈને કુંભારના ચાકડાની માફક છે. સહેલાઈથી ફેરવ્યું. તેમનું ધનુષ્ય કમળની દાંડીની માફક નમાવ્યું. કૌમુદીની ગદાને લાકડીની માફક ઊંચકી લીધી. અને તેનો પાંચજન્ય શંખ જોરથી ફેંક્યો. પાંચજન્ય શંખના આ અવાજથી ચોમેર ખળભળાટ થઈ ગયો. ચારે બાજુ ધમાલ મચી રહી. હાથી, ઘોડા, પોતાનાં બંધનો તોડી છે (૨૫૬). નાસભાગ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણને આ અવાજ સાંભળતાં વિચાર આવ્યો કે શું કોઈ શત્રુ ઉત્પન્ન
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy