SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને આપે તે જીવનમાં ઉતાર્યો છે. પછી આ શોક શા માટે? ગુરુદેવ તો ઉચ્ચગતિ જ પામી ગયા છે હ છે.” કુમારપાળ હીબકાં ભરતાં કહે છે, “એ બધું કબૂલ પણ હું કેટલો દુર્બુદ્ધિ પાક્યો ! મારા છે ઘરના રસોડામાંથી પાણીનું ટીપું પણ ગુરુદેવે ન લીધું! હું રાજા હતો તેથી જ ને ? આજે મને તેનો છે ખ્યાલ આવે છે કે હું જો રાજા ન રહ્યો હોત તો જરૂર આ ગુરુદેવે મને ગોચરી પાણીનો લાભ આપ્યો છે ન હોત. પણ આ ભાન મને પૂર્વે ક્યારેય ન આવ્યું ! હાય ! હું કેવો રાજ્યલોલુપી !” છે એક વાર આદિનાથ પ્રભુ વિનીતા નગરીમાં પધારી રહ્યા હતા. તેમની સાથે હજારો સાધુઓ હતા. તેમને વહોરાવવા માટે ૫00 ગાડાં ભરીને ભરત મહારાજાએ રસોઈ મંગાવી. ભરતને તે આ વાતની ખબર નથી કે રાજપિંડ સાધુ માટે અકથ્ય છે. તેણે ઋષભદેવ ભગવાનને વિનંતી કરી કે, આપના સાધુઓને વહોરવા મોકલો.” ભગવાન ઋષભદેવે ચોખ્ખી ના પાડી દીધી. ભરતની આંખે આંસુ આવી ગયાં. ત્યાં બેઠેલા દ્ર ભરતને આશ્વાસન દેતાં કહ્યું, “આપ શાંત થાઓ.'' ભરત– પણ રસોઈનો મને લાભ નહિ? તેનું શું? ઇંદ્ર-કોઈ ગુણિયલને આ રસવતી જમાડો. ભરત–ભગવાનની આજ્ઞા પ્રમાણે જે આરાધના કરતા હોય તેવા શ્રાવકો જ ગુણિયલ છે. હું (૧૯) હું તેમને આ બધી રસવતી જમાડીશ.
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy