SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯૨) કલ્પસૂત્રની વાચનાઓ ત્રીજી પ્રેરણા : આત્માના સૂક્ષ્મ બળોના ઉત્પાદન માટે ભીતરમાં પલાંઠી લગાવીને બેસો. જગતથી વધુ નિષ્ક્રિય બનો. એ નિષ્ક્રિયતામાંથી પ્રેરણા મેળવીને જગત ધર્મમાર્ગે સક્રિય બની જશે. નગર તરફ પીઠ કરીને વન તરફ ડગ માંડતા પ્રભુને નંદિવર્ધન વિલાપ કરતાં બોલે છે કે, હવે ‘હે બંધુ ! હે વીર ! એમ સંબોધીને હું કોને બોલાવીશ ? કોની સાથે વાતચીત કરીને ગોષ્ઠીસુખ ભોગવીશ ? બધાં કાર્યોમાં હે વીર ! હે વીર ! કહીને હું કેવો આનંદવિભોર બની જતો હતો ? રે ભઈલા ! તારા મુખ દર્શનથી તથા તારા પ્રેમથી અમે જે હર્ષ પામતા હતા તે હર્ષ હવે ક્યાં મેળવવો ? રે ! અમારે હવે આધાર પણ કોનો રહ્યો ? વગેરે. આમ કહેતાં લથડતે પગે નંદિવર્ધન ત્યાં જ ઊભા રહ્યા અને ભગવાન વન તરફ આગળ વધ્યા. સાધનાનો કાળ હવે એ તારક આત્મા ઉપર આફતોનો શરૂ ઝંઝાવાત ! ઉપસર્ગો આવ્યા ! કર્મની કેવી બલિહારી છે ? પ્રભુને દીક્ષા મહોત્સવ વખતે દેવોએ જે ગોશીર્ષચંદન ભગવાનના શરીર ઉપર લગાડ્યું હતું, તેના થર જામી ગયા હતા; તેમજ જે પુષ્પોની માળાઓથી ભગવાનને પૂજ્યા હતા, તેની સુગંધ લાંબા સમય સુધી રહી હતી. તે સુગંધથી આકર્ષાઈને જંગલી ભમરાઓ છઠ્ઠી વાચના (બપોરે) (૧૯૨)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy