SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વનો છઠ્ઠો દિવસઃ કલ્પસૂત્ર છઠ્ઠ બપોરનું વ્યાખ્યાન (૧૮૮) કલ્પસૂત્રની છે. શ્રમણ ભગવાન મહાવીર હવે વન તરફ જવા માટે પગ ઉપાડવાની તૈયારી કરે છે એટલે રાજા છે છઠ્ઠી વાચનાઓ છે નંદિ અને સમગ્ર પ્રજાજન એમને વંદના કરે છે. રાજા નંદિવર્ધન પ્રભુ પાસે જઈને તેમના પગ છે વાચના છે પકડે છે. શ્રમણ ભગવાન મહાવીરનાં ચરણોને પોતાનું મસ્તક અડાડે છે ! લાખોનો સ્વામી રાજા (બપોરે) છે નંદિ માથું ઊંચકી શકતો નથી. એ ચોધાર આંસુએ રડ્યે જાય છે! જ્યાં સ્વામી પોક મૂકીને આક્રંદ છે હ કરે ત્યાં પ્રજાજનના હૈયાની તો શી વાત કરવી? શું વૃદ્ધ કે શું બાળ? શું બળવાન? શું દુર્બળ? શું છે આ સ્ત્રી કે શું પુરુષ? સહુ રડે છે ! કેમ જાણે સ્વજન પરલોકમાં ન ગયો હોય ! કર્મરાજની સામે આ ખેલાનારા ભીષણ સંગ્રામ માટે સજ્જ થયેલા કુમાર વર્ધમાનનું આ સ્વરૂપ જોઈને સહુ સ્તબ્ધ બની છે ગૈયા છે. દેવોની દુનિયા પણ હચમચી ઊઠી છે. “અખૂટવૈભવોને છોડવાનું અને તરછોડી નાખવાનું બળ એક માનવમાં હોઈ શકે! અમે મહાબલીઓ આ વિષયમાં સાવ જ દુર્બળ! રાજા નંદિનું માથું અત્યારે પાંચ-મણિયું બની ગયું છે, કેમેય કરી ઊંચું કરી શકાતું નથી. જાણે માથું કહે છે, “શું ઊંચું . કરું? ભોગવિલાસો ભોગવ્યા પછી ય વિરાગ જાગતો નથી, નાનાભાઈની સામે માથું ઊંચકીને શું ઊભા રહેવું? અંતે શ્રમણાર્થે પગ ઉપાડ્યો. રાજા નંદિએ પ્રભુને નમસ્કાર કર્યા. છે (૧૮૮) અત્યાર સુધી ગુહસ્થ જીવનમાં જેમણે વિરાગભાવે ભોગવીને રાગનાં બંધનો તોડવાની સાધના
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy