SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૪) કલ્પસૂત્રની વાચનાઓ આ અંગે એક ઉદાહરણ છે. ભાગવત સપ્તાહમાં એક કથક વ્યાસપીઠ ઉપર બેઠા હતા. સપ્તાહ પૂર્ણ થતાં તેમના રિવાજ મુજબ ફંડ કરવા લાગ્યા. જે યજમાન હતા તેમણે કહ્યું : લખો મારા ૧૦૧ રૂપિયા.'' ’’ મહારાજે તેને આશીર્વાદ આપતાં કહ્યું, ‘‘તારો ધંધો વધતો વધતો બમણો થાઓ.'' આ સાંભળીને સભામાં સન્નાટો ફેલાઈ ગયો. પછી કોઈ ફૂંકે ચાં ન કરે. એક રૂપિયો કોઈ ન બોલે. મહારાજ ઉપદેશ આપવા લાગ્યા પણ હવે એક પૈસો ય લખાવે તે બીજો ! આનું કારણ મહારાજે પૂછ્યું, ત્યારે એક સભાજન બોલ્યો, ‘‘મહારાજ, તમે તો હદ કરી નાખી. પેલા યજમાનને તમે કેવા આશિષ આપી દીધા ?’’ મહારાજ – મેં શું ખોટા આશીર્વાદ આપ્યા છે ? મેં કહ્યું, ‘‘તારો ધંધો બમણો થાય.’ ,, સભાજન – પણ સાહેબ ! આપને ખબર છે કે તેનો ધંધો મસાણમાં લાકડાં પૂરાં પાડવાનો છે, તે બમણો થાય એટલે તેટલા વધુ માણસો આ ગામમાં મરે એમ જ ને ? મહારાજ - હાય ! મને તો તેની ખબર જ ન હતી. મહારાજે આપ્યા આશીર્વાદ, પણ તે આશીર્વાદ બની ગયો અભિશાપ. આવું જ પ્રભુને માતાની ભક્તિ સંબંધમાં થયું. ચોથી વાચના (સવારે) (૧૩૪)
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy