SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતિના કે ધંધાના માધ્યમથી આપણે ત્યાં જુદા જુદા મહોલ્લાઓનું નગરમાં આયોજન થતું જ હતું. આની પાછળ જબરદસ્ત સાંસ્કૃતિક હેતુઓ પડેલા છે. આજે ય અનેક નગરોમાં વાણિયાવાડ, બ્રાહ્મણવાડ, હરિજનવાડ વગેરે જુદા જુદા વાડા છે. આથી ત્યાં સંસ્કૃતિ સચવાઈ રહી છે. જ્યારે આજે તો એક ફલેટમાં જૈન રહેતો હોય, બાજુમાં વૈદિક હોય, તેની બાજુમાં મુસલમાન હોય, પછી આ પાટીદાર હોય. આવી સ્થિતિમાં સંસ્કારોની જાળવણી ખતમ થઈ જાય છે. બધું સમાન કરવા જતાં આ સંસ્કારનું સત્યાનાશ નીકળી ગયું છે ! જ્યાં બધાં જૈન કુટુંબો વસતાં હોય ત્યાં જૈનની દીકરી રાત્રે નીકળી કે ફરી શકે ખરી? નહિ જ. કેમકે બધા તેને ઓળખે. આવી તો અનેક મર્યાદાઓ આવા જ જ સહવાસોને કારણે આપમેળે પળાઈ જતી. જ્યાં એક જ જ્ઞાતિ-જાતિનાં કુટુંબો રહેતાં હોય ત્યાં છે ધર્મનો સંબંધ હોય છે. લોહીનો સંબંધ હોય છે તેમજ એક ભગવાનનો પણ સંબંધ હોય છે. આથી છે શીલ સારી રીતે પળાય અને મર્યાદાઓ બધી જળવાય. વળી, એક પ્રકારના તે સહુના ધંધા-વ્યાપાર છે છું હોય એટલે નિવૃત્તિના સમયમાં તક મળતાં તે ભાઈઓ જે ચર્ચા-વિચારણા કરે તેનાથી તેમના હું ધંધાઓ પણ વધુ વિકસિત થાય. અષ્ટાંગ વગેરે નિમિત્ત શાસ્ત્રની ચર્ચા થાય, તેમાંથી અનેક પ્રશ્નો છે ઉદ્ભવે તેના ઉકેલો મળે. આમ, જ્ઞાનની પણ વૃદ્ધિ થાય. પણ વકીલ ને ડોક્ટર પાસે રહેતા હોય તો છે છે કોના જ્ઞાનની વૃદ્ધિ થાય? તે મળે તો શું કરે ? તીન પત્તી રમે ! એકસરખા સમાન ધંધા અને સમાન હું ધર્મવાળા સાથે રહેવાથી ધર્મ અને ધંધો બન્નેયનો વિકાસ થાય અને ગૃહસ્થોને મોક્ષલક્ષી જીવનનું છે
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy