SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલી વાચના (સવારે) આ વાત સંઘના આગેવાનોએ ભદ્રબાહસ્વામીજીને કરી. ભદ્રબાહુસ્વામીજીએ પુનઃ કહ્યું કે તે (૪) હૈ “ફરીથી રાજાને કહો કે બાળકનું આયુષ્ય માત્ર સાત દિવસનું છે, એટલું જ નહી, પણ તેનું મોત કલમસૂરાની બિલાડીના નિમિત્તથી થશે.” વાચનાઓ આ આગેવાનો ફરીથી રાજાને મળ્યા અને ભદ્રબાહુસ્વામીજીનો સંદેશો જણાવ્યો. રાજાએ આખા જ આ ગામમાંથી બિલાડીઓને ગામ બહાર મૂકી દેવા ફરમાવ્યું. થોડા કલાકોમાં આખા ગામમાં એક પણ આ બિલાડી ન મળે તેવી સ્થિતિ થઈ ગઈ. સાતમા દિવસે ધાવમાતા સાથે પુત્રને ભોંયરામાં મોકલી જ દેવામાં આવ્યો, કદાચ બહાર રાખે અને ક્યાંકથી બિલાડી દોડી આવે તો ? સાતમો દિવસ થયો. ધાવમાતા ભોંયરામાં બારણા આગળ બેસીને બાળકને રમાડતી બેઠી છે જ હતી, ત્યાં ધડાક કરતો ઉપરથી બારણાનો આગળિયો પડ્યો અને તે બાળકના માથા ઉપર પડતાં છે તેની ખોપરી ફાટી ગઈ અને બાળક તત્કાળ મૃત્યુ પામ્યું. રાજા દુઃખી થઈ ગયો. બધા ખરખરો ? કરવા ગયા. હવે ભદ્રબાહસ્વામીજી પણ રાજાની પાસે તેમને સમાધિ આપવા ગયા અને તેનો શોક શાંત છે કર્યો. સુરિજીએ કહ્યું, “રાજન ! જે બનવાનું હતું તે બની ગયું. હવે શોક કરવો વ્યર્થ છે. આ બધું છે કર્માધીન છે.' ઇત્યાદિ શબ્દોથી રાજાને શાંત કર્યો. પછી રાજાએ કહ્યું, “સૂરિજી! આપનું કહેવું સાચું પડ્યું છે. પણ આપ કહેતા હતા કે બિલાડીથી હું ()
SR No.600354
Book TitleKalpsutrni Vanchnao
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1999
Total Pages350
LanguageGujarati
ClassificationManuscript
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy