SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ જી જ ગંગે જવાબ આપ્યો. “સૂન જિસકે હરિ એ બિશ્વાસ નહીં, સો હી આશ કરો અકબરકી.” અને જાણે ટાયરમાંથી હવા નીકળી ગઈ. અકબર સાંભળીને ધુંવાકુવા થઈ ગયા. તેને એવો કોધ ચઢયો કે તેને ઊંઘ ન આવી. બીજે દિવસે એક હાથીને ખૂબ દારૂ પાય. જે રસ્તે ગંગ હંમેશ આવતા હતા તે રસ્તા પર છૂટ્ટો મૂકો. પહેલેથી સિપાઈઓએ લોકોને દૂર કર્યા હતા. રસ્તો સૂમસામ હતો. બધાને થયું કે આજ ગંગ કવિરાજ ખલાસ ! ગુન્હો શું હતું ? નાની સરખી ખુશામત ગંગે અકબરની ન કરી! ગંગ તો મસ્ત રીતે રસ્તા પર આવી રહ્યા હતા. રસ્તા સાફ હતા. સામેથી દારૂમાં ચકચૂર ગાંડો હાથી ધસમસતે દોડી આવ્યો અને ગંગને ઉપાયો સૂઢમાં; અને ફેંકયા ઊંચે જેવા તે નીચે પડ્યા કે હાથીએ પગ નીચે તેના ચૂરેચૂરા કરી નાંખ્યા ! અકબર આ કર, ઘાતકી અને હૃદયહીન હતું ! એક જીવતા માણસ જેવા માણસને પગ નીચે હાથી કચડી મારી નાંખે અને તેનું રૂંવાડું પણ ના ફરકે ! નર્તકી પરવીન : અકબર અતિશય કામાંધ હતા. કામ એટલે અતૃપ્તિ. કામ કઈ પણ પ્રકારને હોય. અતૃપ્ત વાસના તે કામ.
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy