SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨૧] ## સામ્યવાદનું બંધારણ અલગ છે. શાસક પક્ષમાં રહેનાર સામ્યવાદની ગુલબાંગ ન મારી શકે. ન જે સંસ્થામાં પિતે હોય તેનું બંધારણ માન્ય રાખવું પડે, તેને આધીન રહીને ચાલવું પડે, જ્યાં આજ્ઞા ભંગ થાય ત્યાં અરાજકતા, અવ્યવસ્થા, અંધેર થાય. ઘરમાં વાતાવરણ આ સારૂં કયારે રહે ? જે માતપિતાની આજ્ઞાનું પાલન નાના મોટા બધા કરતા હોય તે ત્યાં શાંતિ જળવાઈ રહે. આજ્ઞા એ ભગવાન છે. આજ્ઞા એ ખૂબ મહત્વની ચીજ છે. આજ્ઞા જ ભંગ એટલે શાસ્ત્રને વિનાશ. આજ્ઞા પૂર્વક જે લાભ લેવાય તે લેવાનું નહીંતર લાભ . લેવાને નહીં. કઈ શેઠે મુનિમને ૧૦ હજાર સુધી સેટ કરવાનું કહ્યું બજાર સાથે જોઈને મુનિમે ૨૦ હજારને સોદો કર્યો અને પુષ્કળ નફે થયે. શેઠે આપેલી ૧૦ હજારની મર્યાદા મુનિએ ઉલંઘીને ૨ હજારનો સોદો કર્યો. ભલે તેથી સારી કમાણી થઈ પણ તે ય ડાહ્યો વેપારી હોય તે તે મુનિમને ઈનામ આપે, પણ સાથે સાથે પાણીચું પણ આપી દે. તે વખતે તેને શેઠ કહે કે, “આજે તે તેં મારી આજ્ઞા ઉલ્લંઘીને વિરૂદ્ધ કાર્ય કરી સાર ન કર્યો. પણ આવતી કાલે તને એક લાખનો સોદો કરવાને કહ્યો હોય, અને તું ચાર લાખનો દો મારી 8 આજ્ઞા વિરુદ્ધ જઈને કરે અને તેમાં દેવાળું નીકળી જાય છે ? તે મારી પેઢી જ ઊઠી જાય ને? SBF#833#BE [૧૨૧].
SR No.600275
Book TitleAshtahnika Pravachano
Original Sutra AuthorChandrashekharvijay
Author
PublisherKamal Prakashan
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationManuscript
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy