________________
कथासंग्रह
- યમતિ આ ગ્રંથનું સંપાદન કર્યું છે....સંદર્ભોના અનુસંધાનાદિ દ્વારા કવચિત્ અશુદ્ધિઓ દૂર કરવાનો યથામતિ પ્રયાસ કર્યો છે.... કયાંક અધરા શબ્દોના સરળ પર્યાયવાચી શબ્દો કે અર્થ નીચે ટીપ્પનકમાં મુકાયા છે... બધાજ ગ્રંથો સરળ સંસ્કૃત ભાષામાં હોઇ સંસ્કૃતના પ્રાથમિક અભ્યાસુઓને આ કથાગ્રંથ ખૂબ જ ઉપયોગી થઇ પડશે.... મહાપુરૂષોના • આદર્શજીવન ચરિત્રો- શૈલીની રોચકતા-ભાષાની સરળતા વિ.વિ. દ્વારા આ ગ્રંથ અનેક આત્માઓને અનેક રીતે ઉપયોગી થઇ પડશે.... આ કથાઓ પૈકી અદકાચાર્ય કથા શુભવર્ધનગાણી
શ્રીપાલ ગોપાલકથા કીર્તિસૂરિવર્ય રોહિણી અશોકચંદ્રકથા કનક કુશલ સુદર્શનશ્રેષ્ઠિ કથા શુભાશીલગણિ
દેવપાલ કથા જિનહર્ષગણિ પુણ્યસાર કથા ભાવચંદ્રસૂરિત છે... અન્ય કથાઓના કર્તાના નામો જણાવાયા નથી બધીજ કથાઓ નાની પણ રોચક છે.... ૫.પૂ. ગુરુદેવશ્રી આ.શ્રી. વિજય હેમચંદ્રસૂરિ મ. ના આશીર્વાદથી કથા સંગ્રહ ભા-૧ ના પ્રકાશન બાદ અન્ય S છુટીછવાઈ અનેક કથાઓને સંગ્રહિત કરી સંપાદન કરવાની ભાવના છે... કે પ્રસ્તુત કાર્યમાં પાટણના પંડિતવર્ય ચંદ્રકાંતભાઈ તથા ખંભાતના પંડિત રાજુભાઈ સંઘવીનો પણ સહકાર મળેલ છે....
અંતે પ્રસ્તુત કથાગ્રંથના વાંચન મનન થી અનેક આત્માઓ મહાપુરુષોના અદભુત આદર્શો અને આલંબનોને નજર સમક્ષ * રાખી તેમના માર્ગે આગળ વધવાનો પ્રયત્ન કરવા દ્વારા આત્મહિત સાથે
એજ અભ્યર્થના.... મુનિ કલ્યાબોધિ વિજયજી
.
III