________________
થયેલ છે કે તે ગમે તેવા કઠોર દીલવાળા અભ્યાસી ઉપર પણ સચોટ અસર કરી શકે તેમ છે. આવી બુદ્ધિથી સંસ્કૃત | ભાષાના અભ્યાસી માટે પ્રશમરતિ ગ્રંથનું મૂળ અને ભાષાન્તરપજીવી માટે મૂળ મંથને અનુવાદ દાખલ કરવામાં આવ્યું છે. આ ગ્રંથને સવિતર પ્રસ્તુત અનુવાદ મૂળ ગ્રંથ ઉપરની પૂર્વ આચાર્ય કૃત ટીકાને આશ્રય લઈને કરવામાં આવ્યા છે. આ અતિ ઉપયોગી વિષયમાં પ્રવેશ કરનારને કંઇક વધારે સરલતા થાય એટલા માટે પ્રથમ આ ગ્રંથમાં કયા કયા અધિકાર, કેટલા કેટલા લેકમાં સમાયેલા છે તેનું અહીં વિવરણ કર્યું છે.
શિષ્ટાચાર પ્રમાણે ગ્રંથને આરંભ કરતાં ગ્રંથકાર શ્રી ઉમાસ્વાતિ વાચકમુખે વિશ્વવંદિત શ્રી અરિહંતાદિક પંચ પરમેષ્ટીને પ્રણામ કર્યો છે, ત્યારબાદ ગ્રંથને વિષય, તેનું પ્રયોજન વિગેરે પ્રકાશતાં ગ્રંથકારે પિત મહા સમર્થ જ્ઞાની છતાં હરકેઈ વિદ્વાનને ચકિત કરી નાંખે એવી લઘુતા બતાવી કોઈ પણ મુમુક્ષુ જનને મેક્ષપ્રાપ્તિ માટે કરવા ગ્ય પ્રયત્ન સફળ થવા માટે ખાસ કરીને હૃદયમાં ધારી રાખવા ગ્ય-ભૂલી નહિ જવા ગ્ય, આત્માને ઉપકારી અને અપકારી ગુણદૈષનું મરણ કરાવી પ્રથમ પીડબંધ પૂર્ણ કરી સ્વ ઉપદેશપ્રેણિને સમારંભ કરેલો છે. આટલા સુધીમાં ગ્રંથકાર એવાં એવાં ઉત્તમ દષ્ટાંતે વડે જિજ્ઞાસુ શ્રેતાજનેનું મન આકર્ષે છે કે તેથી શ્રાતાજને એકચિત્તે તેઓશ્રીના ઉપદેશામૃતનું પ્રેમપૂર્વક પાન કરવા અત્યંત આતુર થઇ રહે. ( અહીં સુધી ૧૯ શ્લેક પૂરા થયેલા છે.)
ત્યાર બાદ બ્લેક ૨૦ થી ૨૩ સુધીમાં કેવાં અવળાં આચરણથી આત્મા કષાયી કહેવાય છે તે જણાવ્યું છે. ૨૪ થી ૩૦ શ્લેક સુધી ધાદિ કષાયથી થતા અનર્થ બતાવ્યા છે. ૩૧ થી ૩૩ હેક સુધી રાગ દ્વેષનું સ્વરૂપ કહેલું છે.
Jan Education n
ational
For Personal Private Use Only
W
inery.IO