SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ | અદ્વિક] વ્યાખ્યાન દેની અખંડ આજ્ઞાને પાળીશ અને ગદેવોની સેવાને કરીશ? બેંતાલીસ દોષોથી રહિત એવા આહારાદિ લાવીને ક્યારે ક્ષમાના ભંડાર, તપસ્વી, પદવીધો અને ગ્લાન-માંદા વિગેરે મહાવ્રતધારી, મહાનુભાવ એવા શ્રમણ ભગતની હુ ભક્તિ કરીશ? આ પ્રમાણે ભાવમના વિષયમાં આવા બીજા પણ સંસારનો ઉચ્છેદ કરનારા તેમજ મુક્તિ–મેક્ષસુખને આપનારા સત્કાર્યોની ભાવના ભાવવી જોઇએ. અસાર એવા સંસારના કતવ્યમાં રક્ત થયેલા પિતાના આત્માને ધિક્કાર. તે આત્માઓ ધન્યવાદને પાત્ર છે. પુણ્યશાલી આત્મા છે, તેમને મનુષ્ય અવતાર સફલ છે કે, જેમણે આવા પ્રકારના સત્કાર્યો કર્યા છે, હમણ કરે છે અને ભવિષ્યમાં કરશે. મારા પણ તે દિવસો સફલ થયા કે જે દિવસમાં મેં એ પ્રમાણેના સકતવ્ય કર્યા છે. આ રીતે ભાવ ભાવ. જે સત્યતા કરવામાં અશક્ત હોય તેણે સકતવ્ય કરવા માટેની ભાવના ભાવવી. છતી શક્તિએ તે એ સત્કતવ્ય કરવું જ જોઈએ. શાસ્ત્રોએ કહ્યું છે કે, જે સત્કાર્યો કરવાની શક્તિ ન હોય તે સત્કાર્યમાં બલદેવ મુનિ અને લાકડા કાપનાર રથકારના દ્રષ્ટાંતમાં જેમ મૃગલાએ ભાવના ભાવી હતી તેમ ભાવના ભાવવી. શાસ્ત્રમાં ભાવના તેનેજ કહી છે કે શક્તિ હોય તે સત્કાર્યો કરવા અને જે સત્કાર્યો કરવાની શક્તિ ન હોય તેના માટે શુભ ભાવના ભાવવી. જનતાની પ્રશંસાથી, વાણીથી જેઓ ભાવ બતાવે છે, અને શક્તિ છે છતાં ભાવ બતાવે છે પણ તે પ્રમાણેના કાર્યો નથી કરતા તેવા Jain Education For Personas Private Use Only
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy