SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ જ છે. બીજી ગતિઓ વિપત્તિ સ્વરૂપ છે. તેથી ધનનું દાન આપવામાં જ સદા પ્રયત્ન કરવો જોઇએ. પર્યુષણ એ રીતે દાન નામના કર્તવ્યને કહ્યું. હવે શીલ નામના કતવ્યને કહે છે. અષ્ટાહિક સકલ દુઃખથી મુક્ત થવા ઈચ્છતા આત્માઓએ શીલ અવશ્ય પાળવું જોઈએ. શીલ શક્તિ વ્યાખ્યાન પ્રમાણે સર્વ પ્રકારે મૈથુનત્યાગરૂપ અથવા સર્વ પ્રકારના મૈથુનત્યાગની ભાવના રાખવા પૂર્વક સ્વપનીમાં સંતોષ રાખવા રૂપે સદા યત્નપૂર્વક પાળવું જોઈએ. સ્વપત્નીમાં સંતોષ રાખનારો આત્માઓએ ચાતુર્માસમાં અને પર્વના દિવસોમાં તે સ્વપત્ની સાથેના મૈથુનને પણ ત્યાગ કરવો જોઇએ. એક વખત પણ મિથુન સેવન કરાય તે નવલાખ વિનાશ પામે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, મૈથુનસશા–રૂઢ એટલે મિથુનસેવન કરતો જવ નવ લાખ સૂકમોને હણી નાખે છે. એમ કેવલજ્ઞાની ભગવાને કહેલ છે, એ કેવલી ભગવાનના વચનને શ્રદ્ધા રાખી માનવું જોઈએ. વળી શાસ્ત્રમાં કહ્યું છે છે કે, સ્ત્રીઓની નિમાં-ગર્ભમાં નવ લાખ જ હોય છે-ઉત્પન્ન થાય છે. અને ચાવી જાય છે. સંમૂછિમ જ અસંખ્યાતા હોય છે. કપાસથી ભરેલા અને પોલા વાંસડામાં અત્યંત તપેલા લોખંડના સળિયાને નાખવાથી જેમ કપાસ ભસ્મીભૂત થઈ જાય છે, તેમ પુરુષ સાથે સ્ત્રીના સંયોગથી અંદર રહેલા જીવોને નાશ થઈ જાય છે. એથી દયાવાળા એ શક્તિ પ્રમાણે બ્રહ્મચર્ય પાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ એવું ન કહેવું જોઈએ કે આવા પ્રકારના ઉપદેશથી જો સવજી ૫૪ || Jain Education a l For Personas Private Use Only V inibrary.org
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy