SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ અાહિક વ્યાખ્યાન ૩૦૧ ક્ષમાપના તે જેમ મૃગાવતી સાઠવીએ અને ચંદનબાલા સાદવીજીએ કરી, અને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, એ રીતે કરવી જોઇએ, પરંતુ બાળસાધુ અને કુંભારની જેમ ક્ષમાપના ન કરવી જોઈએ. બાળસાધુ અને કુંભારને વૃત્તાન્ત આ પ્રમાણે છે. | કુંભારશ્રાવકની વિનંતિથી કુંભારની શાળામાં આચાર્ય ભગવંત વિગેરે મુનિવરો સમવસર્યા હતા. તેમાં એક બાળસાધુ હતા, તે ભારે જ્યાં માટીના વાસણો બનાવી રાખ્યા હતા ત્યાં ચાલ્યા જતા, અને બાળસ્વભાવે રમત કરવાનું મન થઈ જતાં, કાંકરીઓ મારી માટીના વાસણમાં છિદ્ર કરી નાખતા, કુંભાર જ્યારે મહારાજ ! આ શું કરે છે? એમ કહી તેમ કરવાની ના પાડતો, ત્યારે બાળસાધુ “મિચ્છામિ દુડ દેતા અને કુંભાર ચાલ્યો જ. ત્યારપછી પણ ફરી બાળસ્વભાવે એ જ રીતે કાંકરીઓ મારી ઘડાઓમાં છિદ્ર કરતા. તેને વળી કુંભાર નિવારતે ત્યારે બાળ સાધુ “મિચ્છામિ દુક્કડ” કહેતા, પરંતુ ફરી પણ બાળ સ્વભાવે ઘડાઓમાં કાંકરીઓ મારી છિદ્ર પાડતા, તે જોઈ કુંભારે બાળસાધુના કાનમાં કાંકરી દબાવી કાન મરડ્યો, ત્યારે બાળસાધુ કહે છે કે મને બહુ પીડા થાય છે, ત્યારે કુંભાર કહે છે કે “મિચ્છામિ દુક્કડ” અને ફરી કાનમાં કાંકરી દાબી કાન મરડે છે. બાળસાધુ કહે છે કે મને બહુ પીડા થાય છે ત્યારે ફરી પણ કુંભાર “મિચ્છામિ દુક્કડ'' દઈ ફરી કાનમાં કાંકરી દાબી કાન મરડે છે. બાળ સાધુ મને બહુ પીડા થાય છે એમ કહે | ૩૦ || Jain d o intematonal For Personal Private Use Only www.aibrary
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy