SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન - ૧૦૨ અલ્પદાન આપીને એકવાર પણ દર વર્ષે કરવી જોઈએ. દરિદ્ર અવસ્થામાં કરેલું અલ્પદાન પણ મહાફળને આપનાર થાય છે. કહ્યું છે કે, સંપત્તિ છતે નિયમ લે, શક્તિ છતે સહન કરવું, યુવાની છતે વ્રત પાળવું, અને દરિદ્ર અવસ્થા છતે થોડુ પણ દાન દેવું. એ મહાફલ આપનાર થાય છે. પાન એજ રીતે પવના દિવસોમાં જિનાલયોમાં શક્તિશાળીએ દર વર્ષે એકવાર પણ મટી પૂજા કરાવવી–ભણાવવી, અશક્તિવાળાએ પણ પ્રેરણા આપી. સહાય કરી, અનુમોદના કરવી વગેરેથી મોટી પૂજ ભણાવવાનું કાર્ય સાધવું જોઈએ. પૂજા કરાવનારને પણ આવા પ્રકારનાં ફળ કહેલ છે, કહ્યું છે કે, - અહિ જેઓ જિનેશ્વરપ્રભુની પૂજા ભણાવે છે, તેઓ દાસપણાને પામતા નથી, દરિદ્રપણાને પામતા નથી, પૃષ્યપણાને પામતા નથી, હીનયાનીને પામતા નથી, અને ઇન્દ્રિયના વિકલપણને–ખંડિતપણાને પામતા નથી. જે ૧ છે દરરોજ પૂજા કરવાનું ફળ તો આ પ્રમાણે છે : સવ દોષ રહિત એવા જિનેશ્વર દેવને જે કઈ ત્રિસંધ્યાએ એટલે સવાર-બપોર અને સાંજે પૂજે છે તે ત્રીજે ભવે સિદ્ધ થાય છે. અથવા સાતમે આઠમે ભવે સિદ્ધ થાય છે-મોક્ષે જાય છે. પારા જિનેશ્વરદેવની પૂજા કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, જનતામાં માન્યતા પ્રાપ્ત થાય JioPII Jan Education For Persona Private Use Only ainelibrary.org
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy