SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્યકુમાર8િ ચરિત્ર ભાગ ૧ && ચાથે પલવ i888888888088E8%89%B3883 પ્રતિષ્ઠાનપુરના રાજ્યની હદ માં આવેલ સમુદ્રના કાંઠાને બંદરે એક મોટું વહાણુ પવનથી ખેંચાઈને આવી ચડયું. તે વહાણને સ્વામી રસ્તામાં મરી ગયો હતો. વહાણના વેપારી ઉતારૂઓએ રાજા પાસે આવીને વિનંતિ કરી કે—હે સ્વામી ! અમારા વઠ્ઠાણને માલિક રસ્તામાંજ મરણ પામે છે. તેના કેઈ સગાવાલા નથી. માલીકી વિનાનું ધન રાજાને મળે છે, તેથી આ બધું દ્રવ્ય કબજે કરે અને વહાણમાં જે કાંઈ અમારૂં હોય તે વહાણમાં રહેલા માણસને પુછી નિર્ણય કરી અમને આપે. રાજાએ કરિયાણાની માલિકી નક્કી કરી તે વહાણના વેપારીઓને પોશાક વિગેરેથી સત્કાર કરી સહુ સહુને માલ આપી દઈ વિસર્જન કર્યા. એટલે સર્વ વેપારીઓ મુસાફરીને યોગ્ય ચીજો લઈને પિતાને સ્થાનકે ગયા. ખારવાઓ તે વહાણને બાળકની માફક ધીમે ધીમે ખેંચીને સમુદ્રના પ્રવાહમાંથી નદી માર્ગે શહેર તરફ લાવ્યા. રાજાના હુકમથી વહાણમાંની વેચવાની સર્વ ચીજો ખારવાઓએ નીચે ઉતારી. પછી બીજી ચીજો જે છે તેમાં હતી તે પણ કાઢીને જમીન ઉપર લઈ આવ્યા. એટલે વહાણના તળીયામાંથી ખારી માટીથી ભરેલા હજારો લેટાઓ નીકળ્યા. રાજા વિગેરે સર્વે લેકે તે જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા કે–આ વહાણુના માલીકના નગરમાં જરૂર આવી માટીની તાણ હેવી જોઈએ, તેથીજ કઈક બંદરમાંથી આ મીઠાથી ભરેલા લેટાઓ લીધા જણાય છે. રાજાએ પ્રતિષ્ઠાનપુરના શેકીઆઓને બોલાવીને બધી વેચવાની ચીજે બતાવીને કહ્યું કે–શેઠીઆઓ! અમ વહાણની ચીજો તમને કેઈને પેટ ન જાય તેવી રીતે વેપારી વર્ગમાં અપાતી કિંમત દઈને લઈ જાઓ, એટલે તેની અંદરથી તમને સહુ સહુના ભાગ્ય પ્રમાણે લાભ મળશે. રાજાનું કહેવું સાંભળીને વેપારીઓ અંદર અંદર વિચારવા લાગ્યા કે–રાજાએ વેચવા આપેલી આ સર્વ વસ્તુઓ બધા વેપારીઓને બેલાવીને વેંચી લઈએ. એટલે રાજાને આપવાની કિંમત બધા મળીને આપી દઈએ, એકથી કાંઈ આટલે બધે બે ઉપાડી શકાય For Personal & Private Use Only BMW&SB88888& Jain Education Internal wine bary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy