SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ ૧ ત્રીજો પલવ X3BYONDADA BHAGWANASANGRATURTHEASIA પ્રાયશ્ચિત ન કરવાથી ત્યાંથી મરીને દેવ જાતિમાં ચંડાળનું કામ કરનાર કિબિષ જાતિના દેવમાં ઉત્પન્ન થયા. દેવસભામાં જવાની રજા તે તેમને મળે જ કયાંથી? હલકી જાતિમાં તથા લાંબા આયુષ્યને લીધે પુષ્કળ અપમાનાદિક સહન કરતા ત્યાંથી અવીને તે એક બ્રાહ્મણને ઘરે જન્મથી મુંગા પુત્રપણે ઉત્પન્ન થયા. આગળના પાના ઉદયથી રોગથી ભરેલા, દરિદ્રી અનેક દુઃખોથી હેરાન થતા તે ત્યાંથી મરીને પછી ભવના ફેરામાં પડયા. અર્થાત્ અનેક ભવમાં પરિભ્રમણ કર્યું. માટે હે પુત્ર ! આગમ જાણવાવાળા, બધા ધર્મોના અભ્યાસી આચાર્યના ગુણવાળા રૂદ્રાચાર્ય જેવા પણ એક ઈર્ષ્યા દોષથી જે આટલું ઘોર દુઃખ પામ્યા તે પછી ધગધગતા અગ્નિના ગેળા જેવા તમારી તે શી વાત? માટે સમજે અને ગુણાનુરાગી બનો. પિતાના આ પ્રમાણેના હિતવચને સાંભળીને તે ત્રણે ભાઈઓ રાખથી ઢાંકેલા અગ્નિની જેમ હદયમાં ઈર્ષ્યાથી ભરપૂર છતાં બહારથી શાંત હેવાને દેખાવ કરતા કેટલાક દિવસ તે મુંગાજ રહ્યા. ધનસાર શેઠ પુત્રના પ્રતાપે કરેડો રૂપિયાને માલીક થયે. દુનિયામાં મનુષ્યની ખરાબ સ્થિતિને હણવાને માટે કુબેરની માફક તેને જાણે કે જન્મ થયો હોય તેમ થયું. “મુનિદ્રે કહેલી બહુ ઉપદ્રવને દૂર કરવાવાળી ઢેલની વાત તથા ધન્યકુમારની માફક સર્વ ઈચ્છિત વસ્તુને આપવામાં કામધેનુ સમાન ગુણરાગની વાત સાંભળીને આ ભવ તથા પરભવમાં કલ્યાણકારી થાય તે તેને ઉપગ ડાહ્યા માણસે એ કરવું, જેથી કરીને સંસારના દુખેથી ભરલે દરિયે વિદને વિના તરી શકાય.” ચોથો પલ્લવ ધન્યકુમારના ત્રણે ભાઈઓ લેક-લજજાને લીધે પિતાના ચિત્તને અનુકૂળ થઈ તેની સાથે થોડો સમય તે સારે સંબંધ રાખે તથા અરસપરસ શિષ્ટાચાર પ્રમાણે ઘરનું કામકાજ બરાબર કરવા લાગ્યા. એક દિવસ ૭૫ Jain Education Internal For Personal & Private Use Only Kaw ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy