SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રો. ધન્યકુમારગ્નિ ચરિત્ર ભાગ ૧ ત્રીજો પલવ 8232028 SSAGEX888888888888888888888888888888 પંકપ્રિય કુમાર આ ભવ તથા પરભવના રોષ-દોષરૂપી ઝાડના ફળ જેવા હજારો દુઃખાને કે ભગ થઈ પડ્યો? માટે સકારણ અથવા નિષ્કારણ કરેલી ઈર્ષો સુખી કરે જ નહિ તે ધ્યાનમાં રાખજે વધારે શું કર્યું? શરૂઆતથી હૃદયને આવેશ હૃદયને બાળે છે અને ત્યારપછી તેની ફેગટ ચિંતામાં આપણું શરીરની અંદર રહેલ ધાતુઓ પણ બળે છે. કૌચા ઝાડનું આલિંગન કેઈને સુખકર્તા થાય ખરું કે? તેથી તે અસહ્ય ખરજજ ઉત્પન્ન થાય,’ માટે ફરીને ફરીને કહું છું કે મારા વહાલા પુત્ર જે પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ દુઃખ દૂર કરવાની તમારી ઈચ્છા હોય તે ઈર્થોને બીલકુલ છેડી સદ્દગુણ જોવાને પ્રયાસ કરે. આમ બહુ પ્રકારે શિખામણ આપવાથી તેના પુત્ર ! ઉપર ઉપરથી સહેજ સરળતા દેખાડવા લાગ્યા. ત્રીજે પલ્લવ. યુકિતપૂર્વક તથા હિત વચનોથી તે ત્રણે મોટા ભાઈઓને બેધ આપ્યા છતાં અદેખાઈની આગથી સળગી જતા હદયવાળા તે ત્રણે ભાઈઓ જેમ મેઘની ધારાથી પર્વત ઉલટ કઠણ થાય છે તેમ વધારે ને વધારે જડ થવા લાગ્યા. એક દિવસ તેઓ પિતાને કહેવા લાગ્યા-કેપિતાજી! તમે અમને એકદમ શીખામણ આપવા મંડી જાએ છે, પરંતુ આપ જરા વિચાર તો કરે કે ધન્યકુમારે હોડ બકીને બે લાખ મેળવ્યા, તેથી કાંઈ તેની વ્યાપારની કુશળતા જણાય નહિ. તેનું નામ તે જુગાર ગણાય. અમે જુગારમાં આસક્ત ધન્યકુમારના વખાણું કેવી રીતે સહન કરી શકીએ ? વ્યાપારની કુશળતા બતાવી ધન મેળવ્યું હોત તો અમે તેની પ્રશંસા કરત. જગારથી લાભ તે કોઈક વાર થાય, પરંતુ ધનની હાનિ તે હંમેશા થાય, વળી આ ધંધે કુલીન માણસોને શોભે પણ નહિ. ભીલના તીરની માફક કોઈક વાર નિશાન વાગી જાય તેમાં શું વળ્યું ? સાચી પરીક્ષા તે Jain Education Internatio For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy