SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પલવ નવમે 买买买於以现网织心织的织网网织税税区网 શ્રી ધન રાજાને ભેટ કરીને અવસરચિત વ્યયની પ્રવૃત્તિ દેખાડવા તથા પ્રમાદી પુરૂષોને જાગૃત કરવા માટે વાપર્યું આ પ્રમાણે ઘણું ધન ધર્મનાં, પુન્યનાં પ્રીતિનાં તેમજ યશનાં કાર્યોમાં વાપર્યું તથા આપ્યું બાકીના ધનની યથાયોગ્ય રીતે વ્યવસ્થા કરીને ધન્યકુમાર નિશ્ચિત થયા. હવે સુભદ્રાએ પણ પિતાનો આશય માતા પાસે જણાવ્યું. તે વખતે માતાએ કહ્યું કે- “ પુત્રી ! હજુ પુત્રના વિયેગની વાર્તાથી બળતા અંતઃ કરણવાળી હું થઈ છું, તેવામાં તું પણ વ્રત ગ્રહણ કરવામાં તત્પર થઈ આ પ્રમાણે ક્ષત (ઘા) ઉ૫ર ક્ષારની જેમ તું દુઃખ કેમ આપે છે? તમે બને જશે પછી મારે કોનું આલંબન? કોની સકાય? તેને આધાર ? તને પણ સહસા આ શું થઈ ગયું ? પુત્રીએ કહ્યું કે માતા ! અમે આઠે બહેનોએ નિર્ધાર કર્યો છે કે પતિની સાથે અવશ્ય સંયમ ગ્રહણ કરવું આ જગતની સ્થિતિ પલટાઈ જાય તે પણ અમે આ પ્રતિજ્ઞા મૂકવાના નથી. જે અમને સંયમ ગ્રહણ કરવામાં વારશે તેને અમે અમારા શત્રુતુલ્ય ગણશું કદાપિ અમારા સ્વામી વિલંબ કરશે, તો પણ અમે વિલંબ કરીશું નહિ વળી સંયમમાં એકતાન થયેલા મારા ભાઈને પણ તમારે રેકે નહિ.” આ પ્રમાણે કહીને તે પિતાને ઘેર ગઈ ભદ્રામાતા નેડથી બંધાયેલા જ્યાં ધન્ય કુમાર હતા. ત્યાં આવીને કહેવા લાગ્યા કે-“ભે ભદ્ર! પુત્ર તો દુઃખ દેવાને તૈયાર થયેલ છે, તેટલામાં તમે પણ દાજ્યા ઉપર ડામની જેમ ઘર ત્યજવાને તૈયાર થયા છે ! પરંતુ મારી ચિંતા તો કઈ કરતા નથી ! આ વૃદ્ધા શું કરશે? કોને ઘેર રહેશે? નિર્દોષ અને નિરપરાધી એવી આ બત્રીસ મારા પુત્રની અને આઠ તમારી BS88888888888KBSASSSSSSSSSSSSSSSSSSBE કે ૩૧૧ Jain Education Interati For Personal & Private Use Only ainelibrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy