SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચરિત્ર ભાગ ૧ બીજે પલવ 32GBSESSSSSSSSSSSSSSSB80888888888 માટે હે પુત્ર ! જેમ ઉચે ચઢેલાં વાદળાની અદેખાઈ કરવા જતાં અષ્ટાપદ (આઠ પગવાળું પ્રાણી) ના પિતાના હાડકાં ભાગે છે, (કુદાકુદ કરવાથી) તેમ ઉચ્ચ ભાગ્યશાળી માણસની ઈર્ષા કરવાથી તેમાં પોતાને જ વિનાશ થાય છે, જે માણસ અન્યની સ્તુતિ સાંભળીને અથવા ઉત્કર્ષ જોઈને ઈર્ષ્યા કરે છે તે તે ભાગ્યહીન પંકપ્રિયની માફક દુઃખી થાય છે. – ઇર્ષો ઉપર પંકપ્રિયની કથાઃજંબુદ્વિપના ભરતક્ષેત્રને વિષે અધ્યા નામની નગરી હતી. તે પિતાનું નામ પ્રમાણે શત્રુથી ન જીતી શકાય તેવી હતી. ત્યાં ઇવાકુ વંશનો જિતારી નામે રાજા રાજ્ય કરતો હતે. તે શહેરમાં પંકપ્રિય નામનો એક ઉદાર, સર્વ માણસોમાં શ્રેષ્ઠ અને પૈસાવાળે કુંભાર રહેતા હતા. પરંતુ તે વાંકી પ્રકૃતિને કુંભાર હતો તે ઈર્ષાળુ હોવાથી બીજાના ગુણ સાંભળી શકતે નહિ. જેમ ખારાશથી સમુદ્રના અને કલંકથી ચંદ્રના ગુણ દુષિત થાય છે તેમ આ એકજ દેષથી તેના બધા ગુણ દુષિત થતા હતાં, જો કોઈના ઉત્કર્ષ અથવા અન્યુદયની વાત ભૂલેચૂકે તેના કાને આવતી તે ઉપાય ન થઈ શકે તેવી માથાની વેદના તેને થઈ આવતી. સગાવાલા અથવા પારકા માણસના ગુણ ગાતા કોઈ માણસને અટકાવવાની શક્તિ પોતાનામાં ન હોય તે પછી તે ઈર્ષાથી પિતાનું જ માથું કરવા મંડી જ. વળી પોતાને ઘરે થયેલ લગ્નોત્સવ વિગેરેમાં કઈ વધારે ન કર્યું હોય, છતાં પિતાનું બમણું–તમ કરી બેલવાની ટેવ હતી, શાસ્ત્રને અભ્યાસ ન કરેલ સંસારી માણસની આ તે પરંપરાથી ઉતરી આવેલી ખે છે કે તેઓ પિતાની વાત વધારી વધારીને જ કહે છે, પણ દોષની વાતે તે પોતે કહેતાં જ નથી હવે કેપથી માથું ફટતા તે કુંભારના-કપાળમાં જખમની એક લાઈન પડી ગઈ. તે ઈષ્યરૂપી વિષવલીની કેમ જાણે પાંદડી ન હોય તેવી લાગતી હતી ! આ પ્રમાણે ભાગ્યહીન માણસને કેપ પિતાને જ ઘાતક બને છે. તેનું કલ્યાણ Jain Education Internet For Personal & Private Use Only પ . alary org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy