SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાગ-૨ પહેલવ નવમેા BES Jain Education International પ્રસન્ન થશે, આપણે પણ ઘણા દિવસથી તેને જોયા નથી, તે આપણે જોઈએ.” આ પ્રમાણે કહીને શેઠે ગૃહવ્યાપારના મોટા અધિકારી મુનિમને તેડવા મોકલ્યો. તે ત્યાં ગયા બહુમાનપૂર્વક ઘેર આવવાનું આમ ત્રણ કર્યુ” અને કહ્યુ` કે સ્વામિન ! આપના પિતા આપના દર્શન માટે બહુ આતુર થયાં છે અને આપને મળવાની ઈચ્છા કરે છે. આપની માતા પણ તમારા દર્શન માટે ઉત્કૃતિ થઈ છે અને પ્રતિક્ષણે તમારુ' જ નામ જપે છે. તમારા આવાગમનથી ઘરની શોભામા બહુ વૃદ્ધિ થશે. મારી જેવા સેવકો પણ આપની રાહ જૂએ છે કે કયારે આપણા સ્વામી ભદ્રાસનને શેાભાવશે. નાની શેઠાણી પણ સ્વામીના આગમનની ઈચ્છા કરે છે, તેથી આપને ઘેર આવવું સારૂ છે. પછી જેમ ઈચ્છા આવે તેમ કરો તે સાંભળીને કુમારે ક્રોધપૂર્વક વક્રષ્ટિ કરીને કહ્યું કે- “બહુ સારું બહુ સારું હમણાં તું ચાલ્યા જા, કાણુ ત્યાં આવે છે ? અહીં રહ્યા ને હજુ મને કેટલા બધા દિવસેા થઇ ગયા કે તું યુક્તિ પ્રયુક્તિ વડે ઘેર આવવાની મને પ્રેરણા કરે છે. તેથી જા જા. જ્યારે અમારી આવવાની ઈચ્છા થશે ત્યારે આવશું બધામાં તું બહુ ડાહ્યો જણાય છે કે અમને શિખામણ આપવાને આવ્યા છે, તેથી જા તું તારા કામમાં જ નિપુણ છે અમારે ખર્ચવાનુ ધન તાકીઢે મેકલજે,’' એમ કહીને તે મુનિમને રજા આપી તે નિરાશ થઈને શેઠને ઘેર આવ્યે. પછી તેણે તે દ'પતી ને કહ્યું કે- તેનું મન તે ચારે ભાગે તે વેશ્યામાં જ લુબ્ધ થઈ ગયેલુ છે હમણાં તે તે આવે તેમ જણાતું નથી.” તે સાંભળીને શેઠ દુઃખ પામ્યા અને શેઠાણીને કહેવા લાગ્યે For Personal & Private Use Only ૩ ૨૧૭ www.jainellbrary.org
SR No.600179
Book TitleDhanyakumar Charitra Part 01 and 02
Original Sutra AuthorShreyansvijay
Author
PublisherVishanima Jain Panch Godhra
Publication Year1982
Total Pages700
LanguageGujarati
ClassificationManuscript
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy